Only Gujarat

Bollywood TOP STORIES

17 વર્ષ બાદ એકતા કપૂરને આ કારણે ઉતારવી પડી અંગૂઠીઓ, કારણ જાણી ચોંકી ઉઠશો

મુંબઇઃ ટીવીની ક્વીન એકતા કપૂરે પોતાની સીરિયલ્સ સિવાય અંગૂઠીઓના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. અનેક વાર લોકો કહે છે કે અંગૂઠીઓના કારણે આજે એકતાને સફળતા મળી છે.જોકે, હવે એકતાએ આ અંગૂઠીઓ ઉતારી દીધી છે. જેનો પુરાવો એકતાએ શેર કરેલા એક વીડિયો મારફતે મળ્યો છે. એકતાના આ નિર્ણય પાછળનું કારણ જાણી તમે ચોંકી ઉઠશો.

એકતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. કેટલાક સેકન્ડના આ વીડિયોમાં એકતા પોતાનો હાથ બતાવી રહી છે જેમાં તેણે એક પણ અંગૂઠી પહેરી નથી. એકતાને અંગૂઠી વિના જોઇ સેલિબ્રિટીઝ આશ્વર્યમાં પડ્યા હતા.

કસોટી જિંદગી કે માં કોમોલિકાની ભૂમિકા નિભાવી ચૂકેલી હિના ખાને એકતાના વીડિયો નીચે કોમેન્ટ કરતા લખ્યું કે, આ કેવી રીતે થયું. જવાબમાં એકતાએ લખ્યું કે, બસ એલર્જી થઇ ગઇ છે. સાબુ અને સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરવાના કારણે. કેટલા સમય બાદ અંગૂઠીઓ પાછી આવશે અન્ય ચીજોની જેમ.

કરિશ્મા તન્નાએ કોમેન્ટ કરી-શું? જવાબમાં એકતાએ લખ્યું કે હા કેટલાક દિવસો માટે. સૂફી બેબી નામથી ટ્વિટર એકાઉન્ટ પરથી એકતાને એવો સવાલ કરવામાં આવ્યો જેનો જવાબ તમામ લોકો જાણવા માંગશે. તેણે લખ્યુ કે, સારુ. કેટલા વર્ષ બાદ અંગૂઠીઓ ઉતારી. જેના જવાબમાં એકતાએ લખ્યુ કે, મે 2003થી પહેરવાની શરૂઆત કરી હતી. કેટલાક દિવસ અગાઉ એકતાએ પોતાની આ અંગૂઠીઓના કારણે ટ્રોલ થઇ હતી.

વાત્સવમાં કોરોના વાયરસના કારણે તમામ પોતાના હાથ વારંવાર સેનિટાઇઝ કરવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેને લઇને ચેલેન્જ પર લીધી હતી. આ દરમિયાન એકતા અંગૂઠી પહેરીને હાથ ધોતો વીડિયો શેર કર્યો હતો. ટ્રોલર્સે એકતાને ટ્રોલ કરી હતી. ત્યારે એકતાએ કહ્યું હતું કે, ડોક્ટર્સને પૂછ્યું છે કે અંગૂઠી પહેરવાથી કોઇ નુકસાન થતું નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page