મુંબઈઃ કોરોના વાયરસના કારણે લોકોની રોજીરોટી પર ભારે અસર પડી છે. બોલીવૂડના અનેક સેલિબ્રેટીઝ લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. એવામાં અમિતાભ બચ્ચને ઓલ ઇન્ડિયા ફિલ્મ એપ્લોઇઝ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દૈનિક શ્રમિકોના પરિવારને માસિક રાશન આપવાનો સંકલ્પ કર્યો છે. સોનિ પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાએ અભિતાભની આ પહેલનું સમર્થન કર્યું છે.
સોની પિક્ચર્સ નેટવર્કે એક નિવેદનમાં કહ્યું હતું કે જે સ્થિતિમાં આપણે છીએ, તેમાં અમિતાભ દ્વારા શરૂ કરવામાં આવેલી વી આર વનનું સોની પિક્ચર્સ સમર્થન કરે છે.
સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાના મુખ્ય નિર્દેશક અને સીઇઓ એનપી સિંહે કહ્યું કે તેઓ પોતાની સીએસઆર પહેલ અંતર્ગત એસપીએનના અમિતાભ બચ્ચન સાથે મળી ભારતીય ફિલ્મ તથા ટેલિવિઝન ઉદ્યોગના રોજમદાર શ્રમિકોના પરિવારની મદદ કરવાની પહેલ કરી છે.
તેમણે કહ્યું હતું કે એસપીએનનું સમર્થન ઓછામાં ઓછા 50 હજાર મજૂરો અને તેમના પરિવાર માટે એક મહિનાનું રાશન સુનિશ્ચિત કરશે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સોની ચેનલ માટે રિયાલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિને 2010થી હોસ્ટ કરી રહ્યાં છે