અમદાવાદઃ અમદાવાદના મણિનગરમાં રહેતાં એક 55 વર્ષીય બિઝનેસમેન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ બિઝનેસમેન થોડાં દિવસ પહેલાં લૉકડાઉન દરમિયાન ફસાયેલાં લોકોને ફૂડ પેકેટ વેચાવી મદદ કરી રહ્યાં હતાં. જોકે, લૉકડાઉનમાં ફસાયેલા લોકોને આપવામાં આવતા ફૂડ પેકેટ બનાવડાવવાની અને વહેંચવાની જવાબદારી આ બિઝનસમેને સીધી રીતી ક્યાંય સામેલ નહોતાં. આથી જ તેમને કેવી રીતે કોરોના સંક્રમિત થયો જાણી શકાયું નથી.
ન્યૂઝ એજન્સી PTI પ્રમાણે, અમદાવાદના દક્ષિણઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહે જણાવ્યું હતું કે, ‘‘આ બિઝનેસમેનનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તે લૉકડાઉનમાં ફસાયેલાં લોકોને ફૂડ પેકેટ વહેંતો હતો.’’ ગત સોમવારે (છ એપ્રિલ) આ બિઝનેસમેને કોરોના ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નગર નિગમના હેલ્થ ઓફિસરે કહ્યું કે, ‘‘આ બિઝનેસમેનને કોરોનાનું સંક્રમણ ક્યાંથી થયું તે અત્યાર સુધી જાણી શકાયું નથી. આ બિઝનેસમેન છેલ્લાં કેટલાક દિવસથી ઘરે જ હતો, આ ઉપરાંત તેને થોડાં સમય પહેલાં કોઈ વિદેશ યાત્રા પણ કરી નહોતી.
બિઝનેસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે. અમદાવાદના આરોગ્ય વિભાગે આ વ્યક્તિના પરિવાર સહિત 13 લોકોને ક્વૉરન્ટીન કર્યાં છે અને સ્થાનિક હોસ્પિટલમાં આ બિઝનેસમેનની સારવાર ચાલી રહી છે.’’