Only Gujarat

FEATURED National

પાંચ મહિના બાદ પત્નીનો ફૂટ્યો ભાંડો, શાતિર એવી કે પોલીસ પણ ગોથે ચઢી ગઈ

ગુરગાંવઃ 5 મહિનાથી ગુમ ગુરગાંવના સેક્ટર-5ના સુરેશની હત્યા તેની પત્ની સુનીતાએ જ પ્રેમી પાસે કરાવી હતી. પ્રેમીએ ડુમરખાં ખાતે પોતાના ઢાબા પર બોલાવી સુરેશને દારુ પીવડાવ્યા બાદ ગોળી મારી હતી અને ત્યાં જ દફનાવી દીધો હતો. શુક્રવારે સુનીતા પ્રેમી એવા સુખબીર ઉર્ફ સુક્ખીએ આ મામલે ખુલાસો કર્યો હતો. જ્યારે સુરેશની પત્નીએ પણ પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસે ઢાબા પાસે ખોદકામ કરી સુરેશનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. શનિવારે રોહતક મેડિકલ કોલેજમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

સુનીતાએ પોતાના પતિ સુરેશને ભિવાનીના ગામ બડેસરાની એક વ્યક્તિની હત્યા કરવા કહ્યું હતું. જેના આરોપમાં પતિ જેલમાં ગયો તો સુનીતા અને સુખબીર વચ્ચે નિકટતા વધી. જોકે 6-7 મહિના અગાઉ જેલમાંથી બહાર આવનારા પતિ સુરેશને પત્નીના આડાસંબંધોની જાણ થઈ ગઈ હતી. જેથી સુનીતાએ સુખબીરને અમુક સમય દૂર રહેવાની સલાહ આપી હતી. સુરેશ ટેક્સી ચલાવતો હતો અને સુનીતા એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી હતી. ઘણા સમયથી દીકરા સાથે સંપર્ક ના થયો હોવાના કારણે સુરેશના પિતા રામમેહરે 1 સપ્ટેમ્બરના સેક્ટર-5 પોલીસ સમક્ષ મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી. તેમણે સુનીતા પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે દીકરા સાથે સંપર્ક ના થવા પર તેની પત્નીને આ અંગે સવાલ કર્યો હતો.

સુનીતાએ પોતાના પતિ સુરેશને ભિવાનીના ગામ બડેસરાની એક વ્યક્તિની હત્યા કરવા કહ્યું હતું. જેના આરોપમાં પતિ જેલમાં ગયો તો સુનીતા અને સુખબીર વચ્ચે નિકટતા વધી. જોકે 6-7 મહિના અગાઉ જેલમાંથી બહાર આવનારા પતિ સુરેશને પત્નીના આડાસંબંધોની જાણ થઈ ગઈ હતી. જેથી સુનીતાએ સુખબીરને અમુક સમય દૂર રહેવાની સલાહ આપી હતી. સુરેશ ટેક્સી ચલાવતો હતો અને સુનીતા એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી હતી. ઘણા સમયથી દીકરા સાથે સંપર્ક ના થયો હોવાના કારણે સુરેશના પિતા રામમેહરે 1 સપ્ટેમ્બરના સેક્ટર-5 પોલીસ સમક્ષ મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી. તેમણે સુનીતા પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે દીકરા સાથે સંપર્ક ના થવા પર તેની પત્નીને આ અંગે સવાલ કર્યો હતો.

4 વર્ષ અગાઉ સુરેશ પાસે કરાવી હતી હત્યા
પરિવારજનોએ જણાવ્યું કે, સુરેશે 2016માં સુનીતાના કહેવા પર ભિવાનીના બડેસરા ગામના વ્યક્તિની હત્યા કરી હતી. જેના કારણે સુરેશ પર હત્યાનો કેસ થયો અને તે જેલમાં ગયો. તે 4 વર્ષ બાદ બહાર આવ્યો તો તેને પત્નીના આડાસંબંધોની જાણ થઈ. તેની પત્નીના સુખબીર સાથેના સંબંધો અંગે તે બધુ જાણતો હતો. સુરેશે પત્ની સાથેના આડાસંબંધો મામલે સુખબીરને હત્યાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સુનીતાએ કહ્યું હતું- સ્પષ્ટતા કરવા માટે પતિને બોલાવ અને મારી નાંખ
સુખબીરે જણાવ્યું કે, તેના અને સુનીતાના સંબંધો 9 વર્ષ અગાઉથી છે. ત્યારે તે નરવાના ભણવા માટે જતો હતો. સુનીતા ભિવાનીના બડેસરા ગામથી ખરલ ગુરુકુળમાં ભણવા જતી હતી. બંનેની ડુમરખાં બસ સ્ટોપ પર મુલાકાત થતી.

સુરેશ જેલમાં હોવાથી તેમની મુલાકાતો વધવા લાગી. સુખબીરે કહ્યું કે- ‘સુનીતાએ મને કહ્યું હતું કે- તેના પતિને સ્પષ્ટતા આપવા બોલાવીને તેની હત્યા કરી નાખું અને મે યોજના પ્રમાણે જ કર્યું. સુરેશ ઢાબા પર આવ્યો તો બંનેએ દારુ પીધો. સુરેશ જ્યારે વધુ નશામાં હતો તો તેને ગોળી મારી હત્યા કરી હતી.’

સુખબીરે સુરેશને દફનાવેલ સ્થળ પોલીસને દેખાડતા પોલીસે મૃતદેહ બહાર કઢાવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ પોલીસે સુખબીર પર હત્યાનો કેસ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page