શિલોંગઃ કોરોના સામે હાલમાં આખી દુનિયા લડી રહી છે. પરંતુ આ બિમારી સામે જે લોકો લડી રહ્યા છે, તે આપણા ડોક્ટર છે. એવામાં સ્વાભાવિક છે કે, તેઓ કોરોનાના શિકાર થઈ રહ્યા છે. મેઘાલયમાં એવા જ એક ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત થયુ છે. પરંતુ બુધવારે (15 એપ્રિલ) જ્યારે તેના શબને અગ્નિસંસ્કાર માટે લઈ જાવામાં આવતુ હતુ, ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
WHO કહે છે કોરોના પીડિત શબને જલાવવામાં આવેઃ ડોક્ટર જોન એલલ સાયલો શિલોંગનાં બેથની હોસ્પિટલનાં ડાયરેક્ટર હતા. અને તેઓ રાજ્યનાં પહેલાં કોરોના પોઝીટીવ દર્દી હતા. જ્યારે તેમનું મોત થયુ ત્યારે ડબલ્યુએચઓનાં નિયમો મુજબ, તેનાં શબના અગ્નિસંસ્કાર કરવાના હતા. પરંતુ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે, અંતિમ સંસ્કારથી જે ધુમાડો નીકળશે તેનાંથી આસપાસનાં લોકોને પણ ચેપ લાગી ના જાય.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતનાં મોત બાદ તેનાં શબના અગ્નિસંસ્કાર કરવા જરૂરી છે, બાદમાં તેની અસ્થિઓને શબપેટીમાં રાખીને પરંપરા મુજબ દફન કરી શકાય છે. પરંતુ સ્થાનિક લોકોનાં વિવાદ બાદ એવું થઈ શક્યુ નહોતુ.
જમાઈથી ચેપ લાગ્યો હોવાની આશંકાઃ સાયલો 69 વર્ષનાં હતા અને તેમને અસ્થમા અને ડાયાબિટીઝની બિમારી હતી. સાયલો સિવાય તેના પરિવારનાં 6 લોકો પણ પોઝીટીવ છે, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. સાયલો શિલોંગ અને નોન્ગપોમાં 2 હોસ્પિટલ ચલાવતા હતા. અને સતત દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આશંકા છે કે, સાયલોમાં કોરોના સંક્રમણ તેમના જમાઈ દ્વાર પહોંચ્યુ હોઈ શકે છે. જે એર ઈન્ડિયામાં પોયલોટ છે અને તે ન્યૂયોર્કમાં ફસાયેલાં ભારતીયોને લાવવામાં માટે ન્યૂયોર્ક ગયા હતા.
હવે સાયલોના મોત બાદ શિલોંગનાં વહીવટીતંત્રે સંક્રમણને રોકવા માટે 2000 લોકોનું લિસ્ટ બનાવ્યુ છે અને તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સાથે જ જે લોકોની ડોક્ટર સાયલો સારવાર કરી રહ્યા હતાં, તે લોકોના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે.