Only Gujarat

Bollywood FEATURED

હનિમૂનની તે કાળી રાત, પતિએ જ કરિશ્માને મિત્રો સાથે સૂવા કરી હતી મજબૂર!

મુંબઈ: કોરોનોનો ડર ઓછો થવાનો નામ નથી લઈ રહ્યો. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. અને તો મોતના મોઢામાં જઈ ચુક્યા છે. જો કે, સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મોટા પગલાં લઈ રહી છે. એવામાં સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ કામ પર પાછા આવી ગયા છે. તો, સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા, થ્રોબેક ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂરની મોટી બહેન કરિશ્મા કપૂર સાથે જોડાયેલો ખૌફનાક કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો કરિશ્માના જીવનની એ કાળી રાત સાથે જોડાયેલો છે, જેના વિશે વિચારીને પણ તે કાંપી ઉઠે છે. આવો, તમને જણાવીએ શું હતો એ કિસ્સો…

કરિશ્માએ આ વર્ષે જ માર્ચમાં વેબ સીરિઝ મેંટલહુડથી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. જેના પ્રમોશન દરમિયાન કરિશ્માએ મુવીની સાથે પોતાની પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેની પર્સનલ લાઈફ ખૂબ જ દર્દનાક થઈ ગઈ હતી.

તેણે જણાવ્યું હતું કે સાસરિયાઓએ તેને ખૂબ જ પરેશાન કરી અને તેણે સંજય કપૂરથી અલગ થવાનો નિર્ણય લેવા પડ્યો. સૌથી મોટી વાત તો એ છે કે કરિશ્માને ટૉર્ચર કરવામાં તેના પતિ પણ સાસરિયાઓ સાથે સામેલ હતા.

આઈબી ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કરિશ્મા કપૂરે પોતાની પર્સનલ લાઈફના એ રહસ્ય વિશે ખુલાસો કર્યો, જેને સાંભળીને સૌ કોઈ પરેશાન થઈ ગયા હતા. કરિશ્માના પ્રમાણે, જ્યારે અમે અમારા હનીમૂન પર ગયા હતા, ત્યારે સંજયે મિત્રો સાથે મારી કિંમત લગાવી હતી. તેણે મને પોતીના મિત્રો સાથે એક રાત વિતાવવા માટે મજબૂર કરી હતી. જ્યારે હુ તેના માટે તૈયાર ન થઈ તો તેણે મારી સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું.

કરિશ્માએ કહ્યું કે મારી સાથે લગ્ન કર્યા બાદ પણ તેના પોતાની પહેલી પત્ની સાથે ફિઝિકલ રિલેશન હતા અને તે તેની સાથે લિવ-ઈનમાં રહેતા હતા. તેને એ સમયે સૌથી વધુ ટૉર્ચર સહન કરવું પડ્યું, જ્યારે તે પહેલીવાર પ્રેગનેન્ટ હતી.

તેણે જણાવ્યું હતું કે-પ્રેગનેન્સી દરમિયાન મને મારા સાસુએ એક ડ્રેસ ગિફ્ટ કર્યો અને તેને પહેરવા માટે કહ્યું. પરંતુ પ્રેગનેન્સીના કારણે હું તેને નહોતી પહેરી શકતી. જે બાદ સંજય અને તેની માતાએ મારું શારીરિક શોષણ કર્યું અને મને થપ્પડ પણ મારી.

કરિશ્માએ કહ્યું કે- સાસુનો વ્યવહાર સારો નહોતો. તે વાત-વાત પર હાથ ઉઠાવતી હતી. સંજય પોતાના ભાઈને મારા પર નજર રાખવાનું કહેતા હતા. સંજય નાની નાની વાત પર હાઈપર થઈ જતા હતા અને મારપીટ કરવા લાગતા હતા.

કરિશ્માએ સંજય સાથે લવમેરેજ કર્યા હતા, પરંતુ તે સફળ ન થયા. હનીમૂનથી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. હનીમૂન પર સંજયે પોતાની પત્નીનો મિત્રો સાથે સોદો કર્યો હતો અને કરિશ્માને મિત્રો સાથે સૂવા માટે કહ્યું હતું.

જણાવી દઈએ કે કરિશ્માએ અચાનક જ ફિલ્મોથી અંતર બનાવી 2003માં સંજય સાથે લગ્ન કર્યા હતા. એ સમયે કરિશ્મા પોતાની લાઈફને લઈને નિશ્ચિત હતી અને આગળ વધી રહી હતી. પરંતુ લગ્નના લગભદ 5-6 વર્ષ બાદ જ તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું.

આખરે 2012માં તેણે લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને પોતાના બંને બાળકો દિકરી સમાયરા અને દિકરા કિયાન સાથે માતા બબિતા પાસે મુંબઈ રહેવા આવી ગઈ. લગભગ ચાર વર્ષ બાદ 2016માં બંનેના છૂટાછેડા ફાઈનલ થયા.

ખબરોનું માનીએ તો તેમના છૂટાછેડા પરસ્પર સહમતિથી થયા હતા. સંજયે બાળકો માટે 10 કરોડનું એક ટ્રસ્ટ કર્યું છે અને કરિશ્માને રહેવા માટે એક બંગ્લો આપ્યો હતો. સંજય કપૂર પોતાના બાળકોના ભણતરનો ખર્ચ પણ ઉપાડે છે.

કરિશ્માએ પોતાના કરિયરની શરૂઆત 90ના દાયકામાં પ્રેમ કેદી ફિલ્મથી કરી હતી. જે બાદ કરિશ્માએ જીત, જાનવર, હીરો નંબર વન, જુડવા, દિત તો પાગલ હૈ, બીવી નંબર 1, રાજા હિન્દુસ્તાની, સુહાગ, ફિઝા, હમ સાથ સાથ હૈ, જેવી ફિલ્મોમાં કામ કર્યું.

You cannot copy content of this page