નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માના ઘરે જાન્યુઆરી 2021માં પ્રથમ સંતાનનું આગમન થશે. બંનેએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ અંગે ફેન્સને માહિતી આપી હતી. હવે એક જાણીતા જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છે કે, વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરે દીકરો આવશે કે દીકરી.
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા સાથેની તસવીર શેર કરતા લખ્યું હતું કે,‘ટૂંકસમયમાં અમે બે માંથી ત્રણ થઈ જશું. જાન્યુઆરી 2021માં થશે બેબીનું આગમન.’ બ્લેક ડ્રેસમાં જોવા મળેલી અનુષ્કા શર્માનો બેબી બમ્પ તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.
જ્યોતિષે કરી આ ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના માતા-પિતા બનવાના સમાચાર સૌને મળી ચૂક્યા છે. પરંતુ હવે એક જાણીતા જ્યોતિષે ભવિષ્યવાણી કરી છે કે- વિરુષ્કાને ત્યાં દીકરો આવશે કે દીકરી.
ગુરુજીએ આ અંગે કહ્યું કે,‘દીકરો હોય કે દીકરી, બંને સમાન રીતે ઈશ્વરની ભેટ છે. વાસ્તવમાં દીકરીઓ વિવિધ ક્ષેત્રે પુરુષોને માત આપી રહી છે. વિરાટ અને અનુષ્કાના ચેહરા પરથી તેમને ત્યાં દીકરીના આગમનની પ્રબળ શક્યતાઓ છે.’
હાલ આ સમયે યુએઈમાં છે વિરુષ્કા
આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે પરંતુ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉથી ત્યાં હાજર છે. તાજેતરમાં તેમણે હોટલના કાફેમાં કેક કાપી પ્રેગ્નન્સીની જાહેરાતની ઉજવણી કરી હતી.
જોફ્રા આર્ચરે જણાવી ડિલિવરી ડેટ
ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની એક જુની ટ્વિટ વાઈરલ થઈ રહી છે. જેના કારણે ફેન્સ તેને પણ મહાન જ્યોતિષી માની રહ્યાં છે.
વાસ્તવમાં જોફ્રાએ 2015માં એક ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું, ‘5 જાન્યુઆરી’. જોફ્રા આર્ચરની આ ટ્વિટને લોકો અનુષ્કાની ડિલિવરી ડેટ માની રહ્યાં છે.