જો તમારી કાર જૂની થઈ ગઈ છે, તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે. જેના માટે કેન્દ્રની મોદી સરકાર જલ્દીથી એક નવી પોલિસી લઈને આવી રહી છે. જણાવી દઈએ કે, લાંબા સમયથી આ પોલિસી વિશે ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે, હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં જ આ પોલિસી લાગૂ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, આ માટે વાહનોની ભંગાર પોલિસીનો પ્રસ્તાવ તૈયાર થઈ ગયો છે અને તે માટે તમામ સંબંધિત પક્ષોને ભલામણો કરવામાં આવી છે.
આ અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિશ ગડકરીએ પણ જણાવ્યુ હતું કે, જૂના વાહનોને ભંગારમાં નાખવાની પોલિસી તૈયાર થઈ રહી છે. જેના માટે બંદરોમાં પર રીસાઈકલીંગ કેન્દ્રો પણ બનાવી શકાય છે. જે અંતર્ગત જૂની કારો, ટ્રકો અને બસોને ભંગારમાં નાખી દેવામાં આવશે.
ગડકરી મુજબ સરકારે દેશના બંદરોની ઉંડાઈ 18 મીટર વધારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ વાહનોને ભંગાર બનાવવા માટે રીસાઈકલિંગ પ્લાન્ટ બંદરો પાસે લગાવવામા આવશે.
જેમાંથી ઉત્પન્ન થતી સામગ્રી ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ઉપયોગી લેવામાં આવશે, કારણ કે તે કાર, બસ અને ટ્રક નિર્માણ માટેનો ખર્ચો ઓછો કરશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની પ્રતિસ્પર્ધા વધી જશે.
ગડકરી મુજબ પાંચ વર્ષની અંદર ભારતમાં તમામ કાર, બસ અને ટ્રકોના નંબર માટે એક વિનિર્માણ કેન્દ્ર હશે. જેમાં તમામ ઈંધણ, ઈથેનોલ, મિથેનોલ, બાયો સીએનજી, એલએનજી, ઈલેક્ટ્રિકની સાથે સાથે હાઈડ્રોઈજન ઈંધણ સેલ પણ હશે.