Only Gujarat

National

આ લેડી અધિકારીએ રજૂ કરી મિસાલ, કોરોનાથી દેશને બચાવવા પોતાના લગ્ન કર્યાં રદ

નરસિંહપુરઃ ભારત સહિત આખા વિશ્વમાં કોરોનાનો કહેર છે. સંકટના આ સમયમાં જે સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે તે છે આપણા દેશની પોલીસ અને ડોક્ટર્સ. તે પરિવારથી દૂર રાત દિવસ ડ્યૂટી નિભાવી રહ્યા છે. મધ્યપ્રદેશની એક લેડી એસડીએમ અધિકારી જેણે પોતાની ફરજોને પુરી નિષ્ઠાથી નિભાવવા માટે પોતાના લગ્નને હાલ પુરતા સ્થગિત કરી દીધા છે.

વાસ્તવમાં અમે જે અધિકારીની વાત કરી રહ્યા છીએ તે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના કરેલી તાલુકામાં એસડીએમ પદ પર તૈનાત સંઘમિત્રા બૌદ્ધ છે. જેમણે પોતાના દેશ અને વિસ્તારની પ્રજાને કોરોનાથી બચાવવા માટે એક મિસાલ રજૂ કરી છે. નોંધનીય છે કે સંઘમિત્રા બૌદ્ધના લગ્ન 12 એપ્રિલના રોજ થવાના હતા નોઁધનીય છે કે તેમના મંગેતર અભિષેક ચૌરસિયા પણ એસડીએમ અધિકારી છે.

અધિકારી સંઘમિત્રા અને અભિષેક ચૌરસિયાએ પોતાની સગાઇ આઠ ફેબ્રુઆરીના રોજ કરી હતી. એસડીએમ અભિષેક ચૌરસિયા ભિંડમાં તૈનાત છે. આ લગ્ન દતિયામાં થવાના હતા. લગ્ની તૈયારીઓ પણ થઇ ચૂકી હતી. મેરેજ હોલ અને કેટરિંગ વગેરે બુકિંગ થઇ ચૂક્યું હતું

નોંધનીય છે કે બંન્નેના માર્ચની શરૂઆતના દિવસોમાં રજા માટે અરજી પણ કરી દીધી હતી અને તે રજા પર જતા રહ્યા હતા. પરંતુ કોરોના સંકટને જોતા બંન્નેએ લગ્ન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો અને રજા રદ કરીને ફરજ પર પાછા ફર્યા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં અધિકારી સંઘમિત્રાએ કહ્યું કે, છેલ્લા સમય પર લગ્ન ટાળવા મુશ્કેલ હોય છે પરંતુ આ સમયે અમારા માટે દેશને મહામારીમાંથી બચાવવો વધુ જરૂરી હતો. અમારા આ નિર્ણયથી બંન્નેના પરિવારજનો ખુશ છે

એટલું જ નહી એસડીએમ સંઘમિત્રાએ કોરોના બચાવ અને રાહત કાર્ય માટે નરસિંહપુર જિલ્લામાં 10 હજાર રૂપિયા અને મધ્યપ્રદેશ વહીવટી સેવા સંઘમાં 10 હજાર રૂપિયા દાનમાં આપ્યા હતા.

એસડીએમ અધિકારી સંઘમિત્રા

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page