Only Gujarat

International

કોરોનાથી મૃત્યુ પામનાર અને જીવ બચાવનાર વચ્ચે માત્ર ને માત્ર આટલું હોય છે અંતર

કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે અને તેનો આધાર મોટાભાગે લોકોની ઈમ્યુનીટી સિસ્ટમ ઉપર નિર્ભર હોય છે. એક નવા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના દર્દીના મોત અને જીવનની વચ્ચે એક જ કારણ ઈમ્યુન સિસ્ટમ હોઈ શકે છે કારણ કે તે દર્દીમાં અલગ અલગ રીતે કામ કરે છે.

જ્યારે શરીરમાં કોઈ વાયરસનો હૂમલો કરે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે ટી કોશિકાઓનું નિર્માણ કરે છે. આ કોશિકાઓ મોટાભાગે બે સ્વરૂપમાં બને છે. એક જે વાયરસથી બચાવવાનું કામ કરી રહી છે. જેને સહાયક કોશિકાઓ પણ કહેવામાં આવે છે. અને બીજી તેને મારે છે. જેને કિલર કોશિકાઓ કહેવામાં આવે છે.

કિલર કોશિકાઓ ઝેરીલા રસાયણોના માધ્યમથી વાયરસને મારવાનું કામ કરે છે. પરંતુ આ કામને પ્રભાવીરૂપે કરવા માટે સહાયક કોશિકાઓની સાથે સમન્વયની જરૂર પડે છે.

અમેરિકાનાના પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયની હોસ્પિટલમાં શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ના ઘણા ગંભીર દર્દીઓમાં કોશિકાઓનું આ ટીમવર્ક જોવા મળ્યું ન હતું. શોધકર્તાના સ્ટડી અનુસાર શરીરમાં ત્રણ પ્રકારના ‘ઈમ્યુનોટાઈપ્સ’ હોય છે.

ટીમને જાણવા મળ્યું કે પહેલા ઈમ્યુનોટાઈપ્સમાં કેટલાક દર્દીઓમાં સહાયક કોશિકાઓની સંખ્યા વધારે હતી, જ્યારે કિલર કોશિકાઓ દબાયેલી હતી. તેનો અર્થ એ છે કે વાયરસના ખતરાનો અંદાજો હોવા છકા ફણ શરીરમાં તેના પ્રભાવી ઢંગ સામે લડનારી કોશિકાઓ ઘણી ઓછી હતી.

બીજા ઈમ્યુનોટાઈપમાં કિલર કોશિકાઓની સંખ્યા વધારે જોવા મળી હતી. મતલબ એ છે કે વાયરસને પૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે, પરંતુ તેનામાં સહાયક કોશિકાઓની ગેરહાજરી હતી. જેના કારણે બંને વચ્ચે વાયરસ સામે લડવાનો સમન્વય બની શક્યો ન હતો. સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે બીજા ઈમ્યુનોટાઈપમાં કોરોનાવાયરસથી ગંભીર રીતે સંક્રમિત થયા બાદ પણ દર્દી કોઈ પણ રીતે જીવીત રહી જાય છે.

ત્રીજા ઈમ્યુનોટાઈપમાં એ લોકો હતા જેનું શરીર કોઈપણ પ્રકારની પુરતી ટી કોશિકાઓનું ઉત્પાદન કરવામાં અક્ષમ હતું. તેનો અર્થ એ છે કે, તેના શરીરમાં વાયરસ સામે લડનારી બંને આક્રમક કોશિકાઓની ગેરહાજરી હતી. જેના કારણે આ લોકો ઉપર કોરોના વાયરસથી મોતનું જોખમ તોળાઈ રહ્યું હતું.

125 દર્દીઓ પર કરવામાં આવેલી આ પ્રકારની પહેલી સ્ટડી છે. પરંતુ વૈજ્ઞનિકો વિવિધ ઈમ્યુન સિસ્ટમ રિસ્પોન્સને પુરી રીતે સમજી નથી શક્યા. તેમને શંકા છે કે તે ચેપ સમયે દર્દીઓના સામાન્ય સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page