વિશ્વની સૌથી મોટી પેથોલોજી લેબ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરની કંપનીઓમાંથી એક થાઇરોકેરના મેનેજિંગ ડિરેક્ટર ડો.અરોકિયાસ્વામી વેલુમાનીએ કહ્યું છે કે ભારતમાં લગભગ 18 કરોડ લોકો કોરોના વાયરસને લઈને ઈમ્યૂન થઈ ગયા છે. આનો અર્થ એ છે કે દેશમાં 18 કરોડ લોકોમાં કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા બની ગઈ છે.
ડો.વેલુમાનીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 53 હજાર એન્ટિબોડી ટેસ્ટ બાદ પિનકોડના હિસાબથી ટેસ્ટિંગ ડેટા કાઢવામાં આવ્યા છે. 200થી વધુ કેસોમાં, 15 ટકા એન્ટિબોડીઝના મામલાઓ પોઝીટીવ આવ્યા છે. આનો અર્થ એ થયો કે 18 કરોડ લોકો ભારતમાં કોરોના વાયરસને લઈને ઈમ્યૂન થયા છે.
આ આવા સારા સમાચાર છે કે, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આશા છે કે, ટેસ્ટ કીટમાં ખોટા પોઝિટિવ આવવાની કોઈ સમસ્યા ન થાય.
મહારાષ્ટ્રના આંકડા શેર કરતાં તેમણે કહ્યું કે, થાણે-મુંબઈમાં અમુક જગ્યાઓએ 35 ટકાથી વધુ લોકો પોઝીટીવ નીકળ્યા છે.