Only Gujarat

Gujarat TOP STORIES

અંબાજી: ગબ્બર પર જ ‘ચુંદડીવાળા માતાજી’ને અપાઈ સમાધિ, ભક્તોએ ભીની આંખે કર્યા છેલ્લા દર્શન

અંબાજી: કોરોના કહેર વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. છેલ્લા 86 વર્ષથી અન્ન અને જળ વગર જીવતાં ‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતા. ‘ચૂંદડીવાળા માતાજી’એ માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો હતો. ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મુકવામાં આવ્યો છે. માતાજીને 28મી મેના રોજ અંબાજી ખાતે સમાધિ આપવામાં આવશે. ‘ચુંદડીવાળા માતાજી’નું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું.

કરોડો શ્રદ્ધાળુઓનાં આસ્થાનું સ્થાનક એટલે ચુંદડીવાળા માતાજી વર્ષો સુધી ડુંગરાઓમાં તપચર્યા અને સિદ્ધિ મેળવનાર ‘ચુંદડીવાળા માતાજી’ એટલે માડી 26 મેના રોજ રાત્રે વિશ્વધામ પહોંચતા કરોડો ભક્ત દુઃખી થઈ ગયા હતા. બે દિવસ પાર્થિવ શરીરને દિવ્ય દર્શન તરીકે ગબ્બર આશ્રમ ખાતે રાખી ગુરુવારે સવારે બ્રહ્મ મૂર્હતમાં પરીવાર અને ભક્તોની હાજરીમાં સમાધી આપવામાં આવી હતી ત્યારે હાજર લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.

ગુરૂવારે વહેલી સવારથી જ ગબ્બર ખાતે પોલીસ નો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ સમાધી વિધીમાં હાજર લોકોને જ પ્રવેશ અપાયો હતો. માત્ર પરિવારના સીમીત સભ્યો અને ભક્તોની હાજરીમાં સમાધી ચુંદડી વાળા માતાજીને અપાઈ હતી. પ્રહલાદ જાનીથી સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા માતાજીને ભક્તો માડીના નામથી ઓળખતા હતા. ગબ્બર પાસે પહાડોમાં આવેલા આશ્રમ પર સમાધી વિધિ યોજાઈ હતી ત્યારે હાજર લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

જે પવિત્ર ભૂમિ પર વર્ષો સુધી ચુંદડી વાળા માતાજીએ તપચર્યાં કરી તે સ્થળ પર છેલ્લા વર્ષોમાં ઘણા ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આવતા હતા. હવે આ સ્થળ પર માતાજીની સમાધી પર આવી ભક્તો માતાજીની આરાધના કરે તે માટે આ સ્થળ હવે આશ્રમ વિભાગ તરફથી વિકસાવવામાં આવશે.

ચુંદડીવાળા માતાજીનો જન્મ 13 ઓગષ્ટ, 1919ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગમે થતો હતો. તેમનું સાચું નામ પ્રહલાદભાઈ મગનભાઈ જાની હતું. તેઓ અંબાજી માતાના પરમ ભક્ત હતા. એવું કહેવાય છે કે તેમના પર માતા આંબાના આશીર્વાદ હતા.. તેઓ બાર વર્ષના હતા ત્યારથી દેવલોક પામ્યા ત્યાં સુધી એક અન્નનો દાણો પણ ખાધો નહોતો.

પ્રહલાદભાઈ બાળપણથી જ ધાર્મિક સ્વભાવના હતા. તેમને નાનપણમાં એવા ચમત્કાર થયા કે તેઓ માત્ર સાત વર્ષની ઉંમરમાં અંબાજી માંના ભક્ત બની ગયા હતા. સાત વર્ષની ઉંમરમાં માતાજીની ભક્તિ કરવા કાયમ માટે ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હતા.

ચુંદડીવાળા માતાજીને આજ સુધી ક્યારેય ભૂખ લાગી નહોતી. તેઓ કહેતાં હતા કે માતા દુર્ગા એ મને વરદાન આપ્યું હોવાથી મને ભૂખ કે તરસ લાગતી નથી. તેઓએ કહ્યું હતું કે જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે ત્રણ કુંવારિકાઓ મારી પાસે આવીને મારી જીભ પર આંગળી મૂકી ને મને વરદાન આપ્યું હતું. ત્યાર પછી મને ક્યારેય ભૂખ લાગી નથી. એટલું જ નહીં તેમણે આજ સુધી જૈવિક ક્રિયા પણ અટકાવી રાખી હતી. તેઓ માત્ર શ્વાસ લઈને જ જીવી રહ્યા હતા.

પ્રહલાદભાઈ જાનીને લોકો માતાજી તરીકે ઓળખતા હતા. આમ તો સંત જીવન જીવે છે. પોતે પુરુષ હોવા છ્તા લાલ રંગનીસાડી, કપાળે લાલ ચાંદલો અને આભૂષણો પહેરતા હતા. એટલે તેમનો દેખાવ ન પુરુષ કે ન સ્ત્રી જેવો કહી શકાય, પણ બાહ્ર રીતે સ્ત્રી જેવા દેખાવના કારણ લોકો તેમને ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખતા હતા.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના ડૉ. સુધીરભાઇ શાહ અને એમના સહાયક ડૉક્ટોરની ટીમે વર્ષ 2003માં સાત દિવસ એક રૂમમાં ચુંદડીવાળા માતાજીને રાખ્યા હતા. રૂમમાં સીસીટીવી કેમેરા અને વીડિયો રિપોર્ડિં પણ મૂક્યા હતા. ડૉક્ટોરની ટીમે જુદા-જુડા શારીરિક ટેસ્ટ કરી પ્રયોગો કર્યા હતા. તબીબોએ પણ કાન પકડી લીધા હતા.

ત્યાર બાદ વર્ષ 2010માં 22 એપ્રિલથી 6 મે સુધી 35 જેટલા સંશોધકોએ ચુંદડીવાળા માતાજી પર સંશોધન કર્યું હતું. આ સંશોધકોમાં ‘ઈન્ડિયન ડિફેન્સ ઈન્સ્ટિયૂટ ઑફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિઝ’ (IDIPAS)ના ડૉક્ટરો પણ સામેલ હતા. બધા લોકો ચુંદડીવાળા માતાજીના દાવાને નકારી શક્યા નહોતા.

You cannot copy content of this page