લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો વિવાદ સોમવારે રાત્રે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. આ અથડામણમાં ભારતીય સેનાનો એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે ગલવાન ઘાટીની નજીક બંને દેશો વચ્ચેની વાતચીત બાદ બધુ સામાન્ય સ્થિતિમાં ફરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. આ વિવાદની વચ્ચે જાણો છેકે, આખરે ચીન અને ભારતની વચ્ચે ઝડપમાં ગોળીબારી કેમ થતી નથી. શું છે વર્ષ 1993માં થયેલી એ સમજૂતી જે તત્કાલીન પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવે ચીનની યાત્રા દરમ્યાન કરી હતી.
ચીનની સાથે લાગેલી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) લગભગ 3,488 કિમીની છે, જ્યારે ચીન માને છે કે તે ફક્ત 2000 કિમી સુધીની છે. 1991માં ચીનના તત્કાલીન વડા પ્રધાન લી પેંગે ભારતની મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન પ્રધાનમંત્રી પી.વી. નરસિંહા રાવે એલએસી શાંતિ અને સ્થિરતા જાળવવા લી સાથે વાતચીત કરી હતી.
ત્યારબાદ વર્ષ 1993 માં વડા પ્રધાન નરસિંહા રાવે ચીનની મુલાકાત લીધી હતી. દરમિયાન, એલએસી પર શાંતિ જાળવવા બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. કરાર હેઠળ 9 મુદ્દા પર સર્વસંમતિ થઈ હતી. તેમાંથી આઠને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં હતાં. આ કરાર પર તત્કાલિન ભારતના વિદેશ રાજ્ય પ્રધાન આર.એલ. ભાટિયા અને તત્કાલીન ચીનના નાયબ વિદેશ પ્રધાન તાંગ જિઆશુઆન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કરારનો મુખ્ય મુદ્દો એ હતો કે ભારત-ચીન સરહદ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવશે. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને પક્ષની વિરુદ્ધ બળ કે સેના પ્રયોગની ધમકી આપવામાં આવશે નહી. બંને દેશોની સૈન્યની પ્રવૃત્તિઓ વાસ્તવિક નિયંત્રણ રેખાથી આગળ વધશે નહીં. જો એક તરફ જવાન વાસ્તવિક નિયંત્રણની રેખા પાર કરે છે, તો સિગ્નલ આવે કે તરત જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાછા ફરો.
બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો માટે, વાસ્તવિક નિયંત્રણ લાઇન પર દરેક બાજુથી ઓછામાં ઓછી સૈન્ય દળ રાખવા જોઈએ. નિયંત્રણ રેખા ઉપર સૈન્ય દળોની મર્યાદા, તેની સંખ્યા વધારવા વગેરે બાબતો બંને દેશો વચ્ચે પરસ્પર પરામર્શ દ્વારા નક્કી કરવામાં આવશે.
મિલીટ્રી એક્સરસાઈઝની જાણકારી આપો
સમજૂતી મુજબ, બંને પક્ષ વિશ્વાસ ફરી સ્થાપવાનાં ઉપાયો દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખાનાં વિસ્તારોમાં કામ કરશે. સહમતિથી ઓળખવામાં આવેલાં ક્ષેત્રોમાં કોઈ પણ પક્ષ સૈન્ય અભ્યાસના સ્તર પર કાર્ય કરશે નહી. દરેક પક્ષ આ સમજૂતી હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે અલગ-અલગ સ્તરોનાં સૈન્ય અભ્યાસની પૂર્વ સૂચના આપશે.
ભારત ચીનની LAC પર બંને તરફથી હવાઈ ઘુસણખોરીન થાય તે સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યુકે, એરફોર્સ સીમા ક્રોસ કરશે નહી. બંને પક્ષ વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિત ક્ષેત્રોમાં એર એક્સરસાઈઝ અથવા હવાઈ અભ્યાસ પર સંભવિત પ્રતિબંધો પર પણ વિચાર કરશે. 1993ની સમજૂતી મુજબ, સીમા સાથે જોડાયેલી બાબતો પર બંને દેશોની તરફથી એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યુ જેમાં કૂટનીતિ અને સેનાનાં વિશેષજ્ઞ હશે. આ ગ્રુપની રચના પણ પરસ્પર પરામર્શથી થશે.
આવા તમામ કરારો હોવા છતાં, એલએસી પર સૈનિકો શહીદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે રાત્રે ગાલવાન ખીણમાં ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ સમયે મામલાને શાંત કરવા બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મોટી બેઠક યોજી રહ્યા છે.