બગડીના પૂર્વ વૉર્ડ સરપંચ શુભકરણ સ્વામીની હત્યા ફઈની પૌત્રીના આડા સંબંધોમાં આડખીલી બનવાના કારણે થઈ. ફઈની પરિણીત પૌત્રી સંજૂએ તેના પ્રેમીના ભાઈ મધુર સાથે મળીને શુભકરણને બેહોશીની સ્થિતિમાં સ્કૂટી પર પેટ્રોલ ફેંકીને જીવતો જલાવી દીધો. શુભકરણ સંબંધમાં સંજૂના કાકા લગતા હતા, પરંતુ કાકા-ભત્રીજી વચ્ચે આડા સંબંધો હતા. અમિત અને સંજૂના વચ્ચે પ્રેમ સંબંધોની ખબર પડતા શુભકરણે તેના પર નારાજગી વ્યક્ત કરી. પ્રેમીએ સંબંધ તોડવાનું દબાણ બનાવવા પર સંજૂએ પ્રેમી અને તેના ભાઈ સાથે મળીને શુભકરણની હત્યા કરી નાખી.
ભત્રીજીની સાથે આડા સંબંધો રાખવા વાળા શુભકરણને જ્યારે ખબર પડી કે સંજૂના અમિતની સાથે આડા સંબંધો છે તો તેણે એનો વિરોધ કર્યો. સંજૂને તે પસંદ ન આવ્યું અને તેણે પ્રેમી અમિત અને તેના ભાઈ મધુરને બોલાવીને હત્યાનું ષડયંત્ર કર્યું. એએસપી ડૉ. દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે લક્ષ્મણગઢ-બગડી નિવાસી શુભકરણની હત્યાની યોજના બનાવીને 18 સપ્ટેમ્બરે સંજૂ દેવી પત્ની ઉમેશે સંબંધમાં કાકા થતા શુભકરણને પોતાની માતા ગીતા દેવીના ઘરે બોલાવ્યો.
વાતચીત કરીને તેને જમાડ્યું. જેમાં બેહોશીની દવા ભેળવવામાં આવી હતી. શુભકરણ જ્યારે બેહોશ થઈ ગયો તો ત્રણ લોકો સ્કૂટી અને બાઈકના માધ્યમથી શુભકરણને તારપુરાથી 10 કિમી દૂર પલાસિયા જોહડા લઈ ગયા. અહીં બેહોશ શુભકરણ અને તેના સ્કૂટી પર પેટ્રોલ નાખીને સળગાવી દીધા. 90 ટકા દાઝી ગયા બાદ શુભકરણનું મોકા પર જ મોત થઈ ગયું હતું. પ્રેમી નશાની ગોળીઓ લાવ્યો હતો, સળગાવવા માટે બાઈકમાંથી પેટ્રોલ કાઢ્યું હતું.
સીઓ ગ્રામીણ રાજેશ આર્યનું કહેવું છે કે શુભકરણને રસ્તામાંથી હટાવવા માટેનો પ્લાન બનાવવા માટે સંજૂએ પોતાના પ્રેમી અમિત અને તેના ભાઈ મધુરને પહેલાથી જ ઘરે બોલાવી લીધા હતા. અમિત જ બેહોશીની દવા ખરીદીને લાવ્યો હતો. શુભકરણને બાળવા માટે અમિતની જ બાઈકથી જ પેટ્રોલ કાઢીને આ બંને સ્કૂટી અને શુભકરણ પર છાંટીને આગ લગાવી દીધી હતી. થોડી વાર તો ત્રણેય શુભકરણને સળગતો જોતા રહ્યા. કારણ કે તેમને શંકા હતી કે બેહોશી તૂટી શકે છે, પરંતુ, મોટાભાગનો હિસ્સો બળી ગયા બાદ પણ શુભકરણના મોઢામાંથી ચીસ ન નિકળી તો ત્રણેય ત્યારથી જ બાઈક પર બેસીને ચાલ્યા ગયા.
ઝાડ-ફૂંક દરમિયાન બન્યા અમિત સાથે સંબંધ
સીઓ ગ્રામીણ રાજેશ આર્યના અનુસાર સંજૂ દોઢ વર્ષ પહેલા બીમાર થઈ ગઈ હતી. તેને ઈલાજ કરવા માટે ખેતડીમાં પહાડી પર બનેલા આશ્રમમાં ઝાડફૂંક માટે લઈ ગયો હતો. આ આશ્રમના બાબાની પાસે ખજૂરી અકબરપુરનો અમિત ચેલા તરીકે રહેતો હતો. દોઢ મહિના ઝાડફૂંક અને ઈલાજના દરમિયાન ઓળખાણ થઈ તો પરિણીત સંજૂ અને અમિત વચ્ચે આડા સંબંધો બની ગયા. આ તરફ, સંજૂના સંબંધમાં કાકા થતા શુભકરણ સાથે ત્રણ વર્ષ પહેલાથી જ આડા સંબંધો હતા.
શુભકરણને સંજૂના પ્રેમી વિશે ખબર પડી તો તેણે સંજૂ પર અમિતની સાથે સંબંધ તોડવાનું દબાણ કર્યું. તેનાથી ખફા થઈને સંજૂએ શુભકરણને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને ત્રણેયે મળીને તેમની હત્યા કરી નાખી. સંજૂને એક દીકરો અને એક દીકરી છે. તો શુભકરણનો પણ એક દીકરો છે, જ્યારે અમિતે પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા બાદ તે આશ્રમમાં જ રહેતો હતો. અમિતના નાના ભાઈના લગ્ન થઈ ગયા છે. તે ગામમાં જ કામ કરતો હતો.
શુભકરણને સંજૂના પ્રેમી વિશે ખબર પડી તો તેણે સંજૂ પર અમિતની સાથે સંબંધ તોડવાનું દબાણ કર્યું. તેનાથી ખફા થઈને સંજૂએ શુભકરણને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને ત્રણેયે મળીને તેમની હત્યા કરી નાખી. સંજૂને એક દીકરો અને એક દીકરી છે. તો શુભકરણનો પણ એક દીકરો છે, જ્યારે અમિતે પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા બાદ તે આશ્રમમાં જ રહેતો હતો. અમિતના નાના ભાઈના લગ્ન થઈ ગયા છે. તે ગામમાં જ કામ કરતો હતો.
આવી રીતે થયો ઘટનાનો ખુલાસો
દાદિયા થાનાધિકારી બૃજેશ સિંહ તંવરના અનુસાર શુભકરણને બાળીને મારી દીધા બાદ પોલીસે ભાભી ગીતા દેવી અને તેની દીકરી સંજૂના નિવેદન લીધા. જેમાં વિરોધાભાસ સામે આવ્યો. જે બાદ સીસીટીવીમાં સંજૂ બેહોશ શુભકરણને પકડીને અમિતની સાથે વાહન પર લઈ જતી દેખાઈ. પોલીસે સંજૂના મોબાઈલની ડિટેઈલ્સ કાઢી.
જેમાં શુભકરણ પાસે ગયેલા ફોનની જાણકારી મળી. સંજૂના મોબાઈલમાં એક નંબર પર અનેક વાર ફોન કરવામાં આવ્યા હતા. જે અમિતનો હતો. જે બાદ પોલીસે કડક પૂછપરછ કરતા સંજૂ તૂટી ગઈ અને કબૂલાત કરી. પોલીસે અમિત અને તેના ભાઈ મધુરનો પીછો કર્યો. જ્યાં આશ્રમથી બંનને પકડી લેવામા આવ્યા.