નદીમાં માછલી પકડતાં હતાં બાળકો તો પગમાં કંઈક ખૂંચ્યું પછી જે નીકળ્યું તે જાણી બધાંના ઉડી ગયા હોશ
ઉત્તર પ્રદેશના ગોંડાના ખોડારે વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બાળકો કુઆનો નદીના ચંદ્ર તીર્થ ઘાટ પર માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમના પગ નીચે નદીમાં મૂર્તિને અથડાયા હતા. જ્યારે મૂર્તિ બહાર કાઢવામાં આવી ત્યારે તે કરોડોની કિંમતની અષ્ટધાતુની મૂર્તિ નીકળી.
પોલીસનું કહેવું છે કે એવી સંભાવના છે કે આ મૂર્તિ ક્યાંકથી ચોરી કરવામાં આવી છે અને તે એક એન્ટીક પીસ છે. આ મૂર્તિનું વજન લગભગ 18 કિલો છે અને તે માતા સીતાની પ્રતિમા છે. આ અષ્ટધાતુ મૂર્તિની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં હોઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે તે કયા મંદિરમાં સ્થાપિત થયેલ છે અને કોણે ચોરી કરી છે તે તપાસવામાં આવી રહ્યું છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. તો, નદીમાં મૂર્તિ મળી આવતા આ વિસ્તારમાં અફવાઓનું બજાર ગરમ છે.
લોકો મૂર્તિ જોવા માટે નદી પર એકઠા થયા હતા. આ મામલે એડિશનલ પોલીસ અધિક્ષકનું કહેવું છે કે આ મૂર્તિ માતા સીતાની અષ્ટધાતુની છે. આ મૂર્તિ પ્રાચીન છે અને તેની કિંમત કોરોડોમાં હોઈ શકે છે. હાલમા તો પોલીસ તપાસ કરી રહી છેકે, આ કયાં મંદિરમાંથી ચોરવામાં આવી છે.
તેમણે વધુમાં સમજાવ્યું કે આ મૂર્તિનું વજન 17 કિલો 650 ગ્રામ છે. કુઆનો નદી પર આવેલા ચંદ્રદીપ ઘાટ પર, જ્યારે બંને બાળકો માછીમારી કરી રહ્યા હતા.
ત્યારે આ મૂર્તિ તેમના પગને સ્પર્શી હતી. જે બાદ તેમણે મૂર્તિને પાણીની બહાર કાઢી હતી અને બાળકોએ તેના વિશે અન્ય લોકોને જાણ કરી હતી. પોલીસ બાતમી પર પહોંચી હતી અને મૂર્તિને કબજે કરી હતી.