Only Gujarat

FEATURED National

ભાઈ-બહેન પતિ-પત્નીની જેમ રહેતા હતાં, ભાગીને મંદિરમાં કર્યાં હતાં લગ્ન પણ અંજામ એવો ખૌફનાક કે…..

છત્તીસગઢમાં એક હૃદયને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઘટનાની તપાસ કરતા પોલીસ કર્મચારી પણ દંગ રહી ગયા હતા. ઘટનામાં પિતરાઇ ભાઇ બહેનના આડા સંબંધનો ખુલાસો થયો છે. બંને ભાઇ બહેન એકબીજાને પ્રેમ કરતા હતા.

ઘરના સભ્યોને આ વાતની જાણ થતાં પરિવારના લોકોએ તેમને ખૂબ સમજાવ્યાં પરંતુ મોકો મળતાં જ બંને ફરી મળવા લાગતા હતા. જ્યારે વાત આગળ વધવા લાગી તો પરિવારજનોએ જ બંનેની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો અને આખરે પરિવારના લોકોએ મળીને રાતોરાતો ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપી દીધો.

આ ભયંકર ઘટના છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાાઇની છે. જ્યાં રહેતી 21 વર્ષિય એશ્વર્યા કપ્પલ અને તેના કાકાના દીકરા શ્રીહરિ કપ્પલની વચ્ચે એફર ચાલી રહ્યું હતું. 10 ઓક્ટોબરની રાત્રે યુવતીના સગા ભાઇ અને કાકાએ આ બંનેની હત્યા કરી નાખી.પહેલા તો બંનેને ઝેર આપ્યું ત્યારબાદ ઘટનાના પુરાવા દૂર કરવા માટે બંનેના શબને સળવાગી દીધા. ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.બંનેએ ગુનો કબૂલી લીધો છે.

આ બંને પિતરાઇ ભાઇ -બહેન વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર ચાલતું હતું. પરિવારને જાણ થતાં પરિવારે બંનેના અલગ- અલગ જગ્ચાએ લગ્ન પણ નક્કી કરી દીધા હતા. જો કે તે બંને જુદા થઇને કોઇ અન્ય સાથે લગ્ન કરવા તૈયાર ન હતા. પછી તો શું હતું. બંને ઘરેથી ભાગી ગયા.

જ્યારે પરિવારની શોધખોળ બાદ બંને ન મળ્યાં તો પરિવારે બંનેની ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ કરી. ભિલાઇના સીએસ પી અજીત યાદવે ઘટનાની ગંભીરતાને જોતા બંનેને શોધવા માટે એક ટીમની રચના કરી. પોલીસે 4 દિવસ પહેલા જ બંનેને ચેન્નઇથી શોધીને એસડીએમની સામે રજૂ કરીને. તેમના પરિવારને હવાલે કર્યાં હતા.

સીએસપીએ જણાવ્યું કે, આ બંનેના અફેરના કારણે ઘરમાં વિવાદ ચાલતો હતો. તેનાથી છૂટકારો મેળવવા માટે બંનેની હત્યા કરી દીધી. બંનેની ડેડબોડી મળ્યા બાદ યુવતીના સગા ભાઇ અને તેમના કાકાને ધરપકડ કરવામાં આવી છે. બંનેએ તેમનો ગુનો કબૂલી લીધો છે.

જો કે જ્યારે તેમને ચેન્નઇથી લાવીને પોલીસે પરિજનના હવાલે કર્યાં ત્યારે બંનેએ આજીજી કરી હતી કે, ‘અમને આ અમારા પરિવારના લોકો જ મારી નાખશે કારણ કે અમે ઘરેથી ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા છે’ અને બન્યું પણ આવું જ.

You cannot copy content of this page