Only Gujarat

Bollywood FEATURED

તોફાની ટપુડાને જોતાં જ દયાભાભીને લાગ્યો 440 વોલ્ટનો લાગ્યો ઝાટકો, જોતા જ કહ્યું…!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન તથા જેઠાલાલનો તોફાની ટપુડો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. પહેલાં આ સીરિયલમાં ટપુનો રોલ ભવ્ય ગાંધી કરતો હતો. જોકે, આઠ વર્ષ બાદ તેણે આ શો છોડી દીધો હતો. હાલમાં આ શોમાં ટપુનો રોલ રાજ અનડકટ કરે છે. તો બીજી બાજુ દિશા વાકાણીએ પણ આ શો છોડી દીધો છે. જોકે, હજી સુધી સીરિયલમાં બીજા દયાભાભીને લેવામાં આવ્યા નથી. ભવ્ય ગાંધીએ તાજેતરમાં જ ઓનસ્ક્રીન માતા દિશા વાકાણી અંગે વાત કરી હતી.

એક ઈન્ટરવ્યૂમાં ભવ્ય ગાંધીએ કહ્યું હતું કે તે આજે પણ દિશા વાકાણીના સંપર્કમાં છે. તેઓ વીડિયો કોલ પર અવારનવાર વાત કરતી રહે છે. દિશાએ જ્યારે પહેલી જ વાર તેને દાઢીમાં જોયો તો તેમને જોરદાર આંચકો લાગ્યો હતો. દિશાએ ભવ્યને એવું કહ્યું હતું કે અહા, શું દાઢી છે? દિશાએ ક્યારેય ભવ્ય ગાંધીને દાઢીમાં જોયો નથી.

ભવ્યે કહ્યું હતું કે તે સીરિયલની ટપુસેનાના સંપર્કમાં છે. નિધી ભાનુશાલી, કુશ શાહના સંપર્કમાં છે. 2017માં ભવ્ય ગાંધીએ આ શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધીના તમે તે સતત એક સરખું પાત્ર ભજવીને કંટાળી ગયો હતો અને તે કંઈક નવું કરવા માગતો હતો.

ભવ્ય ગાંધીએ કહ્યું હતું કે લોકો એમ કહેતા હતા કે અનપ્રોફેશનલ હોવાને કારણે તેને શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જોકે, આ વાત તદ્દન ખોટી છે. તેણે કહ્યું હતું ક તેને કોઈ ફરક પડતો નથી કે લોકો શું કહે છે. લોકને જે વિચારવું હોય તે વિચારે. સાચી વાત તેને ખ્યાલ છે. આખી જ તેને આ વાતથી કોઈ ફેર પડતો નથી.

વધુમાં ભવ્યે કહ્યું હતું કે ચાહકો આજે પણ તેને ટપુ કહીને બોલાવે છે. એક સમયે તે બસ એક જેવું કામ કરતો હતો. ઘરે જતો , સેટ પર આવતો અને રોજ એક જેવી એક્ટિંગ કરતો. તેને ખ્યાલ નહોતો કે તે આ કેવી રીતે હેન્ડલ કરશે. તેણે આ અંગે પેરેન્ટ્સ સાથે વાત કરી હતી. તેણે અસિત મોદી તથા ડિરેક્ટર સાથે પણ ચર્ચા કરી હતી. બધાને ખ્યાલ હતો કે તે આ શો છોડી રહ્યો છે. ભવ્યે ગુજરાતી ફિલ્મથી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું.

You cannot copy content of this page