સુશાંત સિંહ રાજપૂતનાં સૌથી નજીકનાં લોકોમાંથી તેનો દોસ્ત સિદ્ધાર્થ પિઠાની હતો. સુશાંતની મોતનાં સમયે તે ઘરમાં જ એક રૂમમાં હતો. હવે સિદ્ધાર્થ પિઠાનીએ સુશાંતનાં જીજાજી ઓપી સિંહની તરફથી કથિત રૂપે મળેલાં વ્હોટ્સએપ મેસેજને શેર કર્યો છે. આ મેસેજ ઓપી સિંહે ફેબ્રુઆરી 2020માં સિદ્ધાર્થ પિઠાનીને કર્યો હતો, જેથી તે આ મેસેજ સુશાંત સુધી પહોંચાડી દે. કારણકે, તે સમયે સુશાંત પરિવારનાં સંપર્કમાં ન હતો. સિદ્ધાર્થે જે મેસેજ શેર કર્યો છે તે મુજબ, સુશાંત તેના પરિવારનાં લોકોનાં સંપર્કમાં ન હતો. તેના જીજાજીએ મેસેજ કર્યો હતોકે, તારી પરેશાનીઓથી મારી પત્નીને દૂર રાખ.
પહેલો મેસેજ: ‘હું ચંદીગઢ પહોંચી ગયો છું. મુંબઈ બોલાવવા બદલ આભાર. અહીં મને મારા મિત્રો સાથે જોડાવાનો મોકો મળ્યો.’
બીજો મેસેજ: ‘તમે તમારા જીવનના માલિક નથી તે જાણીને આનંદ થયો, મને આનંદ છે કે મને આ વાતનો અહેસાસ થયો છે અને મેં મારી મુંબઈ વિઝીટને મારી રીતે પ્લાન કરી.’
ત્રીજો મેસેજ: ‘મારી પત્નીને તારી પરેશાનીઓથી દૂર રાખજે, તુ પરેશાનીમાં એટલાં માટે છેકે કારણકે, જે સંગિતમાં તું રહે છે એટલે કે, તારી આસપાસનાં લોકો, મદદ ન કરવાની આદતો અને મિસ મેનેજમેન્ટથી ભરેલાં છે. હું તને જણાવવા માંગુ છું કે, મારી પત્ની પરેશાની નહીં ભોગવે કારણ કે તે સારી છે’
ચોથો મેસેજ: ‘ફક્ત હું જ છું જે તને મદદ કરી શકું છું અને હું હાલમાં ઉપલબ્ધ છું. જે કોઈ પણ તારી દેખભાળ કરે છે- તારી ગર્લફ્રેન્ડ, તેનો પરિવાર અથવા તમારો મેનેજર-મારી ઓફિસ તરફથી આપસી સહમતિથી વાત થઈ શકે છે.
પાંચમો મેસેજ: આ મેસેજ ઉપર તારા વિચારો જણાવજે. અને જો જરૂરી ન લાગે તો તેને અવગણજે. મારી પાસે ચલાવવા માટે સરકાર છે, મેનેજ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ છે અને એક પરિવાર છે જેની મારે દેખ-રેખ કરવાની છે એટલે સમય અને એનર્જી બર્બાદ કરવા માંગતો નથી.
સુશાંતના જીજાજી ઓ.પી.સિંહ એડિશનલ પોલીસ ડાયરેક્ટર જનરલ છે અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિશેષ અધિકારી તરીકે મુકાયા છે. તેમણે સુશાંતની મોટી બહેન રાની સાથે લગ્ન કર્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જ સુશાંતનાં પરિવારે પણ પોલિસને તેના જીવનું જોખમ હોવાનું જણાવ્યુ હતુ. સુશાંતનાં પિતાએ પોતાનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તેઓ કહે છેકે, તેમણે બાંદ્રા પોલિસને પોતાના પુત્રના જીવને જોખમ હોવાને લઈને આગાહ કર્યા હતા.