મુંબઇઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં આ મહામારીના કારણે હાહાકાર છે. ભારત સરકારે મોટો નિર્ણય લેતા 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ સાથે જ તમામ લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. આ લોકડાઉનની અસર સામાન્ય લોકો સાથે બોલિવૂડ સેલેબ્સ પર પણ પડી છે. કોરોના વાયરસ લોકડાઉનથી સલમાન ખાન પણ પ્રભાવિત થયો છે. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફતે આપી હતી. સલમાન ખાને કહ્યું કે તે ખૂબ ડરી ગયો છે.
સલમાન ખાને કહ્યું કે તે 21 દિવસથી પોતાના ઘરથી દૂર છે. તે હાલમાં પોતાના ફાર્મહાઉસ પર છે. તે અહી નાની બહેન અર્પિતા ખાન, બનેવી આયુશ શર્મા, ભત્રીજો નિર્વાણ ખાન, ભાણીયા આહિલ અને ભત્રીજી આયત સાથે છે. તે પોતાના મમ્મી-પપ્પાને મળી શકતો નથી.
સલમાને પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન પોતાના ભત્રીજા નિર્વાણ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાને જણાવે છે કે તે ત્રણ સપ્તાહથી પોતાના ઘરથી દૂર છે.
તેણે કહ્યું કે, આ સમયે તેના પિતા ઘરમાં એકલા છે. જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી તે પોતાના પિતાને જોઈ શક્યો નથી.
સલમાન અને નિર્વાણે લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરતા કહ્યું કે, જો ડર ગયા સો મર ગયા, આ સમયે આ કહેવતને પોતાના જીવનમાં લાગુ કરવાની જરૂર છે. અમે ગર્વની સાથે કહી શકીએ છીએ કે અમે ડરી ગયા છીએ. આ સમયે જે ડરી ગયો સમજો બચી ગયોનો છે.
સલમાને કહ્યુ કે, અમે લોકો અહી કેટલાક દિવસ માટે આવ્યા હતા. પરંતુ હવે અહી જ રહીએ છીએ. અમે લોકો તો અહી પણ ડરી ગયા છીએ.
નોંધનીય છે કે નિર્વાણ સલમાનના નાના ભાઇ સોહેલ ખાનનો દીકરો છે. તેણે કહ્યું કે, તે પોતાના પિતાને 21 દિવસથી મળ્યો નથી. નિર્વાણે પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.
સલમાને લોકોને કહ્યું કે આ બહાદુરીનો સમય નથી. હું ખૂબ બહાદુરીથી કહું છું કે હું ડરી ગયો છું. તમે લોકો પણ બહાદુર ના બનો. સલમાને કહ્યું કે, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે અમે લોકો ડરી ગયા છીએ જે ડરી ગયા સમજો તે બચી જશે અને તેણે ઘણા લોકોને બચાવ્યા પણ છે.