Only Gujarat

Bollywood

‘તારક મહેતા..’માં ફરી એકવાર જોવા મળશે દયાભાભી, સુંદરે જીજાજીને કહી આ વાત

મુંબઈઃ જો તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો હો તો તમારા માટે ઘણાં જ સારા ન્યૂઝ છે. ફરી એકવાર શોમાં દયાબેન જોવા મળશે. છેલ્લાં ઘણાં સમયથી દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાંથી બહાર છે. સુંદર એટલે કે દયાબેનના ભાઈએ જીજાજી જેઠાલાલને આ વાતની માહિતી આપી છે.

ચાહકો ઉત્સાહમાં: ‘તારક મહેતા’ શો ઘેરઘેર લોકપ્રિય છે. ટીઆરપી ચાર્ટમાં ટોપ 5માં રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી દયાબેન આ શોમાંથી ગાયબ છે. ચાહકો ઉત્સાહથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન સીરિયલમાં સુંદરલાલે દયાબેન પરત આવી રહ્યાં છે, તે વાત કન્ફર્મ કરી છે. આ વાતથી ચાહકો ઉત્સાહમાં છે.

દયાના ભાઈએ આપ્યા સારા સમાચારઃ શોના એપિસોડમાં સુંદરલાલ પોતાના જીજાજી એટલે કે જેઠાલાલના ઘરે જાય છે. તે જેઠાલાલને પત્ર આપે છે અને કહે છે કે તેણે રિયલ એસ્ટેટનો નવો બિઝનેસ શરૂ કર્યું છે. તેની બેન એટલે કે દયા મુંબઈ પરત આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ ઈમોશનલ થઈ જાય છે.

શો માટે મહત્વપૂર્ણ છે દયાભાભીઃ દિશા વાકાણી શો માટે ઘણાં જ મહત્વના છે. ભલે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી શોમાં ના જોવા મળે, પરંતુ તેમની કમી જરૂરથી અનુભવાય છે. શોમાં સૌથી વધુ ફી દયાભાભીને જ મળે છે. આટલું જ નહીં દયાભાભીને સીરિયલમાં ફૂટેજ પણ વધારે આપવામાં આવે છે.

આ માટે બ્રેક લીધો હતોઃ દયાભાભીએ 2015માં 24 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના બે વર્ષ બાદ દિશા વાકાણીએ 2017ના રોજ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ દિશાએ મેટરનિટી લીવ લીધઈ હતી. તે છ મહિનામાં પરત ફરવાની હતી. જોકે, દિશા પરત આવી નહોતી.

You cannot copy content of this page