Only Gujarat

FEATURED National

છોકરી ન મળી તો છોકરાએ છોકરીના પુતળાને દુલ્હન બનાવીને કર્યાં લગ્ન પછી…..

છોકરી ન મળી તો છોકરીનાં પુતળા સાથે જ કરી લીધા લગ્ન. વિશ્વાસ કરો. આવા લગ્ન તમે ન તો જોયા હશે, ના તો તમે ક્યારેય સાંભળ્યા હશે. પરંતુ એક પુત્રએ 90 વર્ષનાં પિતાની ઈચ્છા પુરી કરવા માટે આવા લગ્ન કર્યા હતા. પ્રયાગરાજમાં એક પિતાના 8માં પુત્રનાં લગ્ન થઈ શકતા ન હતા. જ્યારે તે જીવનનાં અંતિમ પડાવમાં હતા. એવામાં પુત્રએ પોતાના વૃદ્ધ પિતાનું મન રાખવા માટે અલગ રીતે લગ્ન કર્યા હતા. પહેલાં તો લગ્ન માટે છોકરી શોધવામાં આવી હતી. પરંતુ લગ્ન માટે પાત્ર ન મળતા છોકરીનાં પુતળાને જ દુલ્હન બનાવીને લગ્નનાં બધા જ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. અને સાથે ભોજનનું પણ આયોજન કરાયું હતુ. આ લગ્ન મંગળવારે થયા હતા. જે ચર્ચાનો વિષય બન્યા હતા.

યમુનાપરના ઘુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માનકવાડ ગામના મજરા ભૈદપુરમાં રહેતા શિવમોહન (90) ને 9 પુત્ર છે. સૌથી નાનો છોકરો પંચરાજ 32 વર્ષનો છે. પંચરાજના બધા ભાઈઓ પરણિત છે. દરેકના બાળકો છે. જોકે, કેટલાક કારણોસર પંચરાજે લગ્ન કર્યા નહોતા.

90 વર્ષના શિવમોહનના 8 પુત્રોનો પરિવાર સ્થાયી થયો હતો. પિતા શિવમોહન આંખો બંધ થાય તે પહેલાં પુત્ર પંચરાજના લગ્ન કરવા ઇચ્છતા હતા. પિતાની ઇચ્છાને જોતા પરિવારે પહેલા કન્યાની શોધ કરી, પણ સફળતા મળી નહીં.

આખરે પુજારીને આ વિશે કહેવામાં આવ્યું. પુરોહિતે સૂચવ્યું કે લાકડાની પુતળા સાથે લગ્ન કરાવો. આ રીતે પંચરાજને પરણિત કહેવાશે. પહેલા પંચરાજે આ નિર્ણયનો વિરોધ કર્યો. પરંતુ જ્યારે તેને લાગ્યું કે આ ખુશીમાં તેના પિતાની છેલ્લી ઇચ્છા છુપાયેલી છે, ત્યારે તે સંમત થઈ ગયો.

શુભ મુહુર્ત કાઢવામાં આવ્યુ હતુ અને મંગળવારે પૂર્ણ વિધી-રિવાજ સાથે, પંચરાજનાં પુતળા સાથે ધૂમધામથી લગ્ન કરાવવામાં આવ્યા હતાં. પ્રસંગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્નનાં સાક્ષી બનેલાં પૂર્વ પ્રધાન રાજેશ કુમાર ખન્ના, મંગળા પ્રસાદ વગેરે કહ્યુકે, યુવકે પોતાનું કુંવારુપણું દૂર કરવા માટે વૈદિક પુરોહિતની સલાહ બાદ આ પગલા ભર્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page