પત્નીના અજાણ્યા શખ્સ સાથે આડાસંબંધ હોવાની પતિને ગઈ શંકા પછી જે થયું તે જોઈ ચોંકી જશો
ઉત્તરપ્રદેશના એટામાં ગુરુવારે એક એન્જિનિયરે પોતાની પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી. જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ ઘટનાસ્થળેથી ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
મોહલ્લા અવંતીબાઇ નગર નિવાસી રાજેશ કુમાર રાજપૂતના મકાનમાં 6 જુને ઇબ્રાહિમપુર ગામમાં રહેતા પુત્ર ધીરેન્દ્ર કુમાર વશિષ્ઠ તથા તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી તિવારીની સાથે ભાડે રહેવા આવ્યા હતા. ધીરેન્દ્ર મલાવન સ્થિત જવાહર તાપીય પરિયોજનામાં સેફ્ટી એન્જિનિયર હતો. તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી બીટીસી છેલ્લા વર્ષની વિદ્યાર્થિની હતી.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદથી જ નાનો-મોટો ઝઘડો ચાલી રહ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે પતિ પોતાની પત્ની પર આડાસંબંધ હોવાની શંકા કરતો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ પતિએ આત્મઘાતી પગલુ ઉપાડી પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી અને એજ તમંચાથી પોતે પણ આપઘાત કરી લીધો.
રાજેશ કુમારની પત્ની આરતીએ જણાવ્યું કે ગુરુવારે દંપતીએ સબમર્સિબલથી પાણી ભર્યું નહીં તો દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ પ્રતિક્રિયા ન મળતા અનહોનીની આશંકા ગઇ. તેઓએ તુરંત પોલીસને સૂચના આપી. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.
પોલીસે દરવાજો તોડી રૂમમાં જોયું તો દંપતીનો મૃતદેહ જમીન પર પડ્યા હતા. તપાસ માટે ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી. જાણકારી મળતા જિલ્લાધિકારી સુખલાલ ભારતી અને એસએસપી સુનીન કુમાર સિંહ પણ પહોંચી ગયા. બંને અધિકારીઓએ મૃતકોના પરિવારજનો સાથે પુછપરછ પણ કરી હતી.
ગૌરીને બે ગોળી લાગી છે જ્યારે ધીરેન્દ્રને એક ગોળી લાગી છે. હુમલા દરમિયાન મહિલા જીવ બચાવવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે. મૃતદેહ ગેટ પાસે જ લોહીથી લથપથ પડ્યો હતો. ગોળી લાગવાથી બંનેના મૃત્યુ થઇ ગયા છે.
સમગ્ર મામલે એસએસપી સુનીલ કુમાર સિંહે જાણકારી આપતા કહ્યું કે દોઢ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. ઘરેલું વિવાદના કારણે પતિએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી દીધી ત્યારબાદ પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો.