Only Gujarat

Gujarat

રાજકોટની શોકિંગ ઘટના: રાઠોડ પરિવારમાં વહુને બર્થ-ડેના દિવસે જ આવ્યો હાર્ટ એટેક ને થયું મોત

રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના સિલસિલા દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે 36 વર્ષીય પિરણીતા મહિલાનું બર્થ-ડેના દિવસે જ હાર્ટએટેક આવ્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. વહુનું મોત થતાં પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

રાજકોજમાં જાણીતા ડીજે વગાડનાર ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન ઘરમાં રોટલી બનાવતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતું સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

હાર્ટ એટેકથી મોત થયેલ નિશીતાબેનનો 36મો બર્થ-ડે હતો જેને લઈને ઘરમાં ખુશીનો માહોલ હતો એવી ક્યાં ખબર હતી કે બર્થ-ડેના દિવસે જ મોત થશે. બર્થ-ડેના દિવસે જ વહુનું મૃત્યુ થતાં રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. નિશિતાબેનના મોતથી તેમની બે માસુમ દીકરીઓએ માતાનો સાયો ગુમાવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રમાણે, ગર્ભાશયની કોથળી ફાટી જતાં હદયરોગનો હુમલો આવવાથી મોત થયાનું સામે આવ્યું છે. તેમજ નિશીતાબેનને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આમ, જન્મદિવસ તેમનો અંતિમ દિવસ બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ નિશીતાબેનનો 36મો જન્મદિવસ હતો, જે તેમના માટે અંતિમ દિવસ બની ગયો હતો. નિશીતાબેનને સંતાનમાં એક બાર વર્ષની અને સાત વર્ષની પુત્રી છે, જે માતા વિહોણી બનતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

You cannot copy content of this page