મુંગેર: પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો મનાય છે. પરંતુ ઘણીવાર આડાસંબંધોના કારણે આ સંબંધનો અંત આવે છે. તાજેતરમાં બિહારના મુંગેર જીલ્લામાં આવી જ ઘટના બની. જ્યાં યુપીના બાંદા જીલ્લાના રામકિશોરની હત્યા તેની પત્ની, સાસુ અને સાળાએ મળીને 16મેના કરી હતી. આ મામલે રામકિશોરના પરિવારજનોએ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે ખુલાસો થયો છે. પોલીસે રામકિશોરની પત્ની અલ્કા દેવી, સાસુ લલિતા દેવી અને સાળા સુરજીત તથા સાકેતની પૂછપરછ કરી હતી.
પત્નીના ગામના યુવક સાથે હતા આડા સંબંધ
સુરજીત અને સાકેતના કહેવાના આધારે જ પોલીસે ગંગા ઢાબથી રામકિશોરનો મૃતદેહ શોધી કાઢ્યો. આ કેસમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દીધા. બીજી તરફ ગામના સૂત્રોએ હત્યા પત્નીના આડાસંબંધના કારણે થઈ હોવાની વાત કહી. લૉકડાઉનમાં સાસરી આવીને ફસાયેલા રામકિશોરને આ વાતની જાણ થઈ કે પત્નીના ગામના યુવક સાથે આડાસંબંધ હતા. જેનો તે વિરોધ કરતો હતો. એવું મનાઈ રહ્યું છે કે, આ વિરોધના કારણે જ રામકિશોરે જીવ ગુમાવવો પડયો.
હત્યા બાદ ઘરમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ
ગામવાસીઓ અનુસાર રામકિશોરે પત્નીના આડાસંબંધોનો વિરોધ કર્યા તો બંને સાળા અને સાસુ સાથે પત્નીએ તેને ઢોર માર માર્યો. આ જ દરમિયાન તેનું મોત થયું. જે પછી આરોપીઓએ ઘરમાં મૃતદેહ સળગાવી હત્યાની બીજી કહાની ગઢવાની યોજના બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ મૃતદેહ સળગાવી શક્યા નહીં. જે પછી 17મેના વહેલી સવારે એક સ્થાનિક વ્યક્તિની લારી પર મૃતદેહને નાખી કલ્યાળ ટોલ પાસે ગંગા કિનારે દફ્નાવી દીધો.
આરોપી પત્નીએ પોતાને નિદોર્ષ ગણાવી
મૃતકની પત્ની અલ્કાએ પોતાને નિર્દોષ ગણાવી. તેણે ઘટનાને આત્મહત્યા બતાવી પંચાયત કમિટી પર આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે- ઘટનાની રાતે તમામ લોકો સુતા હતા અને જ્યારે કંઈ બળતું હોવાની જાણ થઈ, જ્યારે તે બહાર નીકળી ત્યારે પતિએ સાડી પહેરી આગ લગાવેલી હતી. તેની બુમો સાંભળી લોકો ભેગા થયા હતા.
આગ ઓલવે તે પહેલા જ રામકિશોરનું મોત થયું. જ્યારે સૂચના પોલીસને આપવાનો નિર્ણય કર્યો તો પંચાયત કમિટીએ અટકાવી દીધા. કમિટીના સભ્યોએ મૃતદેહ ફેંકી દેવા કહ્યું જેથી જેલથી બચી શકાય. તેણે આરોપ લગાવતા કહ્યું કે- બુધો અને પ્રદીપ મંડલે તેમને આમ કરવા કહ્યું હતું.