મુંબઈઃ અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેમનું સમાજસેવી એકમ રિલાયન્સ ફાઉન્ડેશનને કોરોનાવાઈરસ મહામારી દરમ્યાન સૌથી ચર્ચિત પ્રતિક્રિયા આપતી કંપનીઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદી ટ્વિટર અને લિંક્ડઈને તૈયાર કરી છે. લિંક્ડઈને એક બ્લોગમાં લખ્યું હતું કે જ્યારે તમે આ પ્રકારની અનિશ્વિતતાઓનો સામનો કરો છો, તો એવા સમયે ચુપચાપ બેસીને જોવું યોગ્ય હોય છે.
કંપનીઓનું પારદર્શક વલણ સારી બાબતઃ જોકે, મોટાભાગની કંપનીઓ એવામાં આગળ આવી રહી છે અને કર્મચારીઓ તથા ઉપભોક્તાઓ પાસેથી કોરોનાવાઈરસ મહામારી પર પોતાની પ્રતિક્રિયા વિશે ખુલીને વાત કરી રહી છે. આ એવી પરિસ્થિતિમાં જોડાયેલા રહેવાનો, પારદર્શી રહેવાનો અને એકબીજાનાં સમર્થનમાં ઊભા રહેવાનો એક અસરકારક માર્ગ છે.
રિલાયન્સ સિવાય, લોરીએલ અને ડિકેથલોન પણઃ લિંક્ડઈને એવી પાંચ કંપનીઓની સૂચી તૈયાર કરી છે કે જેમની પ્રતિક્રિયાઓ સૌથી વધુ ચર્ચામાં રહી છે. લિંક્ડઇનની આ સૂચિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત લોરીએલ, ડિકેથલોન, લીગો અને જનરલ ઇલેક્ટ્રિક હેલ્થકેર શામેલ છે.
લિંક્ડઈન પ્લેસમેન્ટ પર પ્રશંસનીય કાર્ય કર્યુંઃ ટ્વિટરે પણ આવી જ યાદી અલગથી તૈયાર કરી છે. ટ્વિટરે કહ્યું કે ગૂગલ શિક્ષકોને સશક્તિકરણ કરવા, ડિએગો હેન્ડ સેનિટાઇઝર્સ બનાવવા, ધ હિન્દુ સામાજિક અંતરને પ્રોત્સાહન આપવા, સિસ્કો ફ્રી વેબિનાર સેવાઓ આપવા અને ડેટોલ પોતાને સુરક્ષિત રાખવાની રીતો બતાવવામાં અગ્રણી છે. આ ઉપરાંત, ટ્વિટરએ કહ્યું કે માઇક્રોસોફ્ટ બધા કોલ્સને એક સાથે લાવવામાં, લિંક્ડઇન એપોઇન્ટમેન્ટ કરવામાં અને બિગ બઝાર દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યું છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ માટે આગળ આવી રિલાયન્સઃ ટ્વિટરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મુશ્કેલ પરિસ્થિતીમાં મદદ માટે આગળ આવનારી કંપનીમાં ગણી છે. આ ઉપરાંત ટ્વિટરે ઝોમેટોને દૈનિક કારીગરો માટે ભોજન પ્રોવાઈડ કરવા, તાજ હોટલને સ્વાસ્થ્યકર્મીઓ માટે ભોજન ઉપલબ્ધ કરાવવા, ઉબરને ડ્રાઈવરો માટે રાહત ફંડ બનાવવા તથા ઓપ્પોને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને વલણ અપનાવવા માટે વખાણી છે. લોકોનું મનોરંજન કરનારી કંપનીની યાદીમાં ટ્વિટરે નેટફ્લિક્સ, ડ્યૂરેક્સ, ટિંડર અને મર્સિડિઝ બેન્ઝને સામેલ કરી છે.