ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોરોનાવાઈરસ ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં કોરોનાએ 9 દિવસની નવજાત બાળકીને પોતાની પકડમાં લઈ લીધી છે.
બાળકી સંક્રમિત, માતા-પિતા સ્વસ્થઃ વાસ્તવમાં આરોગ્ય વિભાગમાં ત્યારે હંગામો થયો હતો જ્યારે રવિવારે(19 એપ્રિલ) માત્ર 9 દિવસના નવજાત બાળકમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે બાળકના માતાપિતામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. અત્યારે બાળકીનાં માતા-પિતાનાં ટેસ્ટ કરાવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
7 એપ્રિલે થયો છે બાળકીનો જન્મઃ આ બાળકીનો જન્મ 7 એપ્રિલના રોજ થયો હતો. આ છોકરીનો જન્મ ભોપાલની લેડી સુલ્તાનીયા હોસ્પિટલમાં થયો હતો. આ જ હોસ્પિટલમાં, 2 એપ્રિલે, બે મહિલા ડોકટરોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવજાત શિશુમાં જ આ ડોકટરો દ્વારા ચેપ ફેલાયો હશે.
દીનદયાળ રસોડામાં કામ કરતાં કર્મંચારીઓ પણ થયા સંક્રમિતઃ રવિવારે ભોપાલમાં 27 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત દીનદયાળ રાસોઇમાં કામ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી સુભાષ જોશીને પણ ચેપ લાગ્યો છે. આ સમય દરમિયાન તે ઘણા લોકોના સંપર્કમાં આવ્યો. જેણે પોતાના હાથથી સેંકડો લોકોને ભોજન વહેંચ્યું હશે. રિપોર્ટ બહાર આવ્યા બાદ તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે.
પ્રદેશમાં 1400ને પાર દર્દીઓ, 72 લોકોનાં મોતઃ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1407 પર પહોંચી ગઈ છે. તો, રાજ્યમાં રોગચાળાને કારણે 72 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં ભોપાલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 235 થઈ છે અને ઇન્દોરમાં આ સંખ્યા 890 પર પહોંચી ગઈ છે.