મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડમાં ફેમસ જોડી માનવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 1999માં બંન્નેએ લગ્ન કર્યા હતા. પોતાના લગ્નની 21મી વર્ષગાંઠ મનાવ્યા બાદ કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી પતિ અજય દેગવણ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં કાજોલે કહ્યુ કે, તેના પતિને સેલ્ફી લેવાનું પણ નથી આવડતું. એટલું જ નહી તેને સેલ્ફીનો અર્થ ખ્યાલ છે.
કાજોલે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પોતાની એક ફોટો શેર કરી છે જેમાં તે પોતાના ઘરની સીડીઓ પર બેસેલી જોવા મળી રહી છે. આ ફોટો પર તેણે કેપ્શન લખ્યું છે કે જ્યારે તે અજય દેવગણને સેલ્ફી લેવાનું કહ્યું તો તેણે કહ્યું કે, જાઓ ત્યાં જઇને બેસો હું ફોટો લઉં છું. જેના પર કાજોલે કહ્યુ કે સેલ્ફીનો અર્થ છે કે એ ફોટોમાં ફોટો ક્લિક કરનાર પણ દેખાય.
અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પત્ની કાજોલની ફોટો શેર કરતા લખ્યુ કે, આ મારી રીતની સેલ્ફી છે જેમાં હું ખાસ કરીને કેમેરાની પાછળ રહું છું.
એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું હતું કે. અજય સાથે પ્રથમ શોર્ટ આપતા તેને ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ તેની લાઇફમાં ખૂબ મહત્વનો રોલ પ્લે કરશે. બંન્નેની પ્રથમ મુલાકાત હલચલ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઇ હતી. પ્રથમ મિત્ર બન્યા. જ્યારે કાજોલે અજયને પ્રથમ વાર મળી તો જોયું કે તેને એક કિનારે એકલું બેસવું પસંદ છે. વધુ વાતો કરતો નથી. ત્યારે કાજોલને લાગ્યું હતું કે, એવું કેવી રીતે બની શકે કે કોઇ વાત ના કરે. પરંતુ ધીરે ધીરે કાજોલ સાથે વાત કરવા લાગ્યો અને તેમની મિત્રતા થઇ ગઇ હતી.
સમયની સાથે અજય અને કાજોલે 1999માં બંન્નેના લગ્ન થઇ ગયા હતા.લગ્ન દેવગણ હાઉસમાં પરંપરાગત મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં થઇ હતી. છેલ્લા 21 વર્ષોથી જોડી રિલેશનશીપમાં છે. બંન્નેને દીકરી ન્યાસા અને દીકરો યુગ છે.
કાજોલે કહ્યું હતું કે, કોઇ નહોતું ઇચ્છતું કે હું અને અજય લગ્ન કરીએ. મારો પરિવાર ખૂબ શોક્ડ હતો. જ્યારે મેં પાપાને કહ્યું કે હું અજય સાથે લગ્ન કરવા માંગુ છું તો તેમણે એક સપ્તાહ સુધી મારી સાથે વાત કરી નહોતી. પપ્પાએ કહ્યુ હતું કે, તેનું કરિયર સારુ ચાલી રહ્યું છે અને લગ્ન માટે પણ તેની ઉંમર ઓછી હતી. પરંતુ કાજોલ પોતાની વાત પર અડગ રહી હતી.
કાજોલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજય દેગવણ સાથે લગ્ન કરવાનું કારણ પણ બતાવ્યું હતું. કાજોલે ખુલાસો કર્યો હતો કે તે જિંદગી અને કરિયરમાં ઠહરાવ ઇચ્છતી હતી. આ કારણે તેમણે લગ્નનો નિર્ણય લીધો હતો.
કાજોલે કહ્યું હતું કે, મને કામ કરતા લગભગ નવ વર્ષ થઇ ગયા હતા. દર વર્ષે 4-5 ફિલ્મો આવી રહી હતી. મારી પાસે બધુ જ હતું, પૈસા, સિદ્ધિ, સફળતા પણ પોતાના માટે ના સમય હતો ના શાંતિ. તે સમયે મેં નક્કી કર્યું કે, હું લગ્ન કરીશ અને વર્ષમાં વધુમાં વધુ એક ફિલ્મમાં એક્ટિંગ કરીશ.
કાજોલે કહ્યુ કે, ફિલ્મ કભી ખુશી કભી ગમના સમયમાં પ્રેગનન્ટ હતી પરંતુ એ દરમિયાન મિસકેરેજ થઇ ગયું હતું. ફિલ્મ સારી કમાણી કરી રહી હતી પરંતુ હું તે સમયે હોસ્પિટલમાં હતી. ત્યારબાદ વધુ એક મારે મિસકેરેજ થઇ હતી. બાદમાં મેં ન્યાસા અને યુગને જન્મ આપ્યો. અમે બંન્ને વધુ રોમેન્ટિક નથી પરંતુ એકબીજાનો ખ્યાલ રાખીએ છીએ.