મુંબઈઃ કોરોનાકાળમાં ઘણાં સારા અને ખરાબ સમાચાર સાંભળવા મળ્યાં છે. આ દરમિયાન સેલેબ્સના મોતના સમાચારે પણ ફેન્સને શૉક્ડ કરી લીધા હતાં. હાલમાં જ બૉલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રસ મિષ્ટી મુખર્જીનું નિધન થઈ ગયું છે. તેમની કિડની ફેલ થવાને લીધે ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા નહોતાં. ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી વજન ઘટાડવા માટે કીટો ડાયટ કરી રહી હતી. મિષ્ટીના મોત પછી તેમના પિતાએ જણાવ્યું કે, ‘અંતિમ સમયે દીકરી ખૂબ જ અશક્ત અને પાતળી થઈ ગઈ હતી.’
આમ તો, મિષ્ટી પહેલી એવી એક્ટ્રસ નથી જેનું વજન ઓછું કરવાને લીધે પોતાનું જીવન મુશ્કેલીમાં નાખ્યું અને જીવ ગુમાવી દીધો. આ પહેલાં પણ કેટલાક સેલેબ્સનું વજન ઓછું કરવાનું ઝનૂન જીવલેણ સાબિત થયું છે.
સાઉથ ફિલ્મોની પોપ્યુલર એક્ટ્રસ આરતી અગ્રવાલનું નિધન ઓછી ઉંમરમાં થયું હતું. આરતીનું શરીર વધારે હોવાની સાથે તે ફેફસાની બીમારીથી પિડાતી હતી. વજન ઓછું કરવા માટે તેમને મૃત્યુના એક મહિના પહેલાં જ લિપોસક્શન સર્જરી કરાવી હતી. આ સર્જરીથી તેમની બૉડીમાંથી વધારે પ્રમાણમાં ફેટ હટાવવામાં આવ્યું હતું. જોકે, હૈદરાબાદના એક ડૉક્ટરે તેમને સર્જરી કરાવવાની સલાહ આપી હતી, પણ ડૉક્ટરે આ વાત માની નહોતી.
સર્જરી પછીથી જ આરતીને શ્વાસ લેમાં તકલીફ થવા લાગી હતી. તે સારવાર માટે ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં દાખલ થઈ હતી, જ્યાં તેમનું એક બીજુ ઓપરેશન થવાનું હતું, પણ ઓપરેશન પહેલાં જ તેમનું મોત થઈ ગયું. આરતીના મોત પછી તેમના મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, તે વધારે વજન અને ફેફસાની બીમારીથી ઝઝૂમી રહી હતી, જેની સારવાર પણ ચાલી રહી હતી. આ દરમિયાન તેમને એટેક આવ્યો હતો. તે માત્ર 31 વર્ષની હતી.
ટીવી એક્ટર રાકેશ દીવાનાએ એપ્રિલ 2014માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. આ પછી તેમનું મોત થઈ ગયું હતું. રાકેશે ‘મહાદેવ’, ‘રામાયણ’ જેવી ટીવી સિરિયલ અને ‘રાઉડી રાઠોડ’, ‘ડબલ ધમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 48 વર્ષની ઉંમરમાં જ્યારે તેમણે વજન ઓછું કરાવવા માટે સર્જરી કરાવી તો પહેલાં તો તે સફળ લાગી પણ તેના ચાર દિવસ પછી બ્લડ પ્રેશર વધતાં તેમનું મોત થઈ ગયું.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ડૉક્ટર હાથીનો રોલ પ્લે કરનારા કવિ કુમાર આઝાદું પણ ખૂબ જ વધારે વજન હતું. તેમનું 254 કિલો વજન હતું. એકવાર સિરિયલના સેટ પર તેઓ બેભાન થઈને પડી ગયાં હતાં અને ત્યારે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. ઑક્ટોબર 2010માં તેમણે બૈરિયાટ્રિક સર્જરી કરાવી પોતાનું વજન 80 કિલો સુધી ઓછું કરી લીધું હતું. આ પછી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ડૉક્ટર હાથીનો રોલ પ્લે કરનારા કવિ કુમાર આઝાદું પણ ખૂબ જ વધારે વજન હતું. તેમનું 254 કિલો વજન હતું. એકવાર સિરિયલના સેટ પર તેઓ બેભાન થઈને પડી ગયાં હતાં અને ત્યારે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. ઑક્ટોબર 2010માં તેમણે બૈરિયાટ્રિક સર્જરી કરાવી પોતાનું વજન 80 કિલો સુધી ઓછું કરી લીધું હતું. આ પછી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.