Only Gujarat

Bollywood FEATURED

દુનિયા હલાવવાની વાતો કરનાર પોપટલાલને જ સીરિયલમાંથી એક સમયે કાઢી મૂક્યા હતાં, કારણ જાણીને લાગશે નવાઈ

મુંબઈ: સબ ટીવી પર છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી જે સીરિયલ લોકોને હંસાવે છે એ સીરિયલનું નામ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. આ સીરિયલના તમામ સ્ટાર્સ ખુબ જ પોપ્યુલર છે અને અંગત જીવનમાં પણ એટલા જ જાણીતા છે. આ કેરેક્ટર્સમાં પત્રકાર પોપટલાલ પણ ખુબ જ ફેમસ છે. આ રોલને અભિનેતા શ્યામ પાઠક પ્લે કરી રહ્યાં છે. તેઓ શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે. તેઓ પોતાની થનારા લગ્નને લઈને અવાર-નવાર ચર્ચામાં રહે છે જે ક્યારેય થતાં જ નથી.

પોપટલાલ હંમેશા શોમાં દુનિયા હલાવવાની વાતો કરતાં રહે છે પરંતુ એક વખત એવું બન્યું હતું કે તેમની પોતાની જ દુનિયા હલી ગઇ હતી કારણ કે તેઓને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ પાછળનું કારણ હતું તેમનો અનપ્રોફેશનલ વ્યવહાર.

એક વખત શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનાર દિલીપ જોશીને લંડનમાં એક સ્ટેજ શો પર્ફોમ કરવા જવાનું હતું જ્યારે તેઓ લંડન પહોંચ્યા તો લોકોએ ત્યાં તેઓને અપીલ કરી કે તેઓ પોપટલાલ સાથે એક પર્ફોમન્સ કરે. જેઠાલાલે પોપટલાલને ફોન કર્યો જેઓ ઈન્ડિયામાં જ હતા.

જેઠાલાલની વાત માની પોપટલાલે સ્ટેજ શો કરવા માટે હા પણ પાડી દીધી અને તેઓ તુરંત લંડન પહોંચી ગયા. પરંતુ તેઓએ આ વાતની જાણ તારક મહેતાના ક્રૂને કરી જ નહીં. લંડનમાં તો પ્રોગ્રામ સફળ રહ્યો પરંતુ તારક મહેતાના સેટ પર તણાવ વધી ગયો. પ્રોડ્યુસર્સ પોપટલાલથી ખુબ જ નારાજ હતા. જ્યારે પોપટલાલ પરત સેટ પર આવ્યા તો વાત એટલી વધી ગઇ હતી કે પોપટલાલની શોના પ્રોડ્યુસર અસિત કુમાર સાથે ઉગ્ર ચર્ચા થઇ ગઈ.

શોના પ્રોડ્યુસર સાથે ઉગ્ર ચર્ચા બાદ પોપટલાલને શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. શોમાંથી હકાલપટ્ટી બાદ પોપટલાલ 4 દિવસ સુધી ઘરે રહ્યાં હતાં. આ દરમિયાન તેઓએ પોતાની ભુલનો અહેસાસ થયો અને તેઓએ શોના પ્રોડ્યુસર્સની માફી માગી. બાદમાં તેઓને માફ પણ કરી દેવામાં આવ્યા અને પછી શૂટિંગ કરવા લાગ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page