યોગ ગુરુ સ્વામી બાબા રામદેવ કોરોના વાયરસથી બચવા માટે લોકોને ઇમ્યુનિટી વધારવા દેશી ઇલાજ અને પ્રાણાયામ જણાવ્યા છે. તેમનું માનવું છે કે યોગ અને આયુર્વેદની મદદથી ઇમ્યુનિટી પાવર વધારી શકાય છે. આવા જ કેટલીક જરૂરી માહિતી બાબા રામદેવે શેર કરી છે જેમાં જણાવ્યું કે લોકો હેલ્દી ડાયેટ ફોલો તો કરે છે પરંતુ આ દરમિયાન કેટલાક ભુલ પણ કરે છે જેના કારણે તેઓને જોઇએ તેવું પરિણામ મળતું નથી.
બાબા રામદેવે જણાવ્યું કે નાસ્તામાં વધુ સારી વસ્તુઓ ખાવી જોઇએ જેમ કે અલગ અલગ પ્રકારની દાળ, શાકભાજી, અનાજ, તેલ ખાવાથી શરીરમાં તમામ ન્યૂટ્રિશન અને પ્રોટિન મળશે. આથી ક્યારેય ડાયેટમાં સમજુતી ન કરવી.
બાબા રામદેવે જણાવ્યું કે નાસ્તામાં વધુ સારી વસ્તુઓ ખાવી જોઇએ જેમ કે અલગ અલગ પ્રકારની દાળ, શાકભાજી, અનાજ, તેલ ખાવાથી શરીરમાં તમામ ન્યૂટ્રિશન અને પ્રોટિન મળશે. આથી ક્યારેય ડાયેટમાં સમજુતી ન કરવી.
ત્રણ ટાઇમનું ડાયેટ માટે પણ બાબા રામદેવે કેટલીક ખાસ વાતો જણાવી. સવારે નાસ્તો કરતી વખતે દહી ખાવું. બપોરે લંચમાં છાશ પીવી અને રાતે જમ્યા બાદ સૂતા પહેલા દૂધ પીવું. આવું ઉલટું કરવું નહીં એટલે કે રાતે દહીં અને છાશનું સેવન કરવું નહીં.
આ સિવાય તમામ પ્રકારના રોગી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કેટલીક ખાસ ચીજવસ્તુથી દૂર રહે. વાત રોગીઓએ ઘી, ઠંડી અને તળેલી વસ્તુનું સેવન ન કરવું જોઇએ.
શરદી-ખાંશીના રોગીઓએ ઘી, ઠંડું પાણી અને આઇસ્ક્રિમ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. જ્યારે પણ તરસ લાગે ત્યારે ઉકાળેલું જ પાણી પીવું.