મધ્યપ્રદેશના રાયેસન જિલ્લામા કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. કોરોનાથી જિલ્લામાં બે લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. કોરોનાનો આ કહેર જિલ્લાના અગ્રવાલ પરિવાર સાથે અનેક લોકો પર કાળ બનીને આવ્યો. 24 એપ્રિલે શહેરના મહામાયા ચોકમાં રહેતા સુખદેવ અગ્રવાલના મોટા ભાઇ અમિત અગ્રવાલની ભોપાલમાં સારવાર ચાલી રહી હતી આ દરમિયાન સંદિગ્ધ પરિસ્થિતિઓમાં તેનું મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ 25 એપ્રિલે મોડી રાતે તેના બીજા ભાઇ સુમિતનું પણ હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયું. મૃતકની પત્ની તથા બાળકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
તો નાના ભાઇની પત્ની કોરોના સંદિગ્ધ હોવાને કારણે ભોપાલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. નાના ભાઇને પરિવારમાં 4 બાળકો છે. કોરોનાએ સમગ્ર પરિવારને વિખેરી નાખ્યો છે. તો પ્રશાસને શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો છે.
અમિત અગ્રવાલ 22 એપ્રિલે શરદી, તાવ અને ખાંસીની ફરિયાદ લઇને રાયસેન જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થતા જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો ત્યારબાદ તેની હાલત વધુ લથડી અને તેનું 24 એપ્રિલે મૃત્યુ થઇ ગયું. 23 એપ્રિલે નાના ભાઇને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો બાદમાં તેનું પણ મૃત્યુ થઇ જતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
નાના ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ વિભાગે 56 જવાનોને ક્વોરન્ટાઇન કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પરિવારજનો, પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ, બેંક કર્મચારીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મૃતકના પરિવારમાં ચાર બાળકો છે, સૌથી નાની નવજાત બાળકી માત્ર 12 દિવસની જ છે. મૃતકની પત્નીને કોરોનાની શંકાને કારણે ભોપાલના ચિરાયું હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. અગ્રવાલ પરિવાર રાયસેનમાં ટિફિન સેન્ટર ચલાવતા હતા. લોકડાઉન દરમિયાન તેમનો સમગ્ર પરિવાર ખાવાની વ્યવસ્થામાં મદદ કરતો હતો. આ ટિફિન સર્વિસ પોલીસકર્મી સહિત અને લોકોને પહોંચાડવામાં આવતું હતું.