Only Gujarat

Bollywood

દીકરા સુશાંતના મોતના સમાચાર સાંભળીને ભાંગી પડ્યા પિતા, થઈ ગયા સૂનમૂન

મુંબઈ: ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્યહત્યાના સમાચારથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. દીકરા સુશાંતના મોતના સમાચાર મળતા જ પટના રહેતાં પિતા તદન ભાંગી પડ્યા છે. ઘરમાં ગૂમસૂમ થઈને બેસી ગયા છે. જાણે ગળામાં ડૂમો ભરાઈ ગયો અને દીકરો ગુમાવ્યોનો વિશ્વાસ ન આવતો હોય તેવું લાગી રહ્યું છે.

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈના બાન્દ્રા સ્થિતિ પોતોના ફ્લેટ પર અંદાજે આજે બપોરે 12.45 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતસિંહ રાજપુતના નોકરે પોલીસને ફોન કરીને એક્ટરની આત્મહત્યાની જાણકારી આપી હતી. સુશાંત બાન્દ્રામાં ફ્લેટમાં એકલો રહેતો હતો. પરિવાર બિહારના પટનાના રાજીવનગરમાં રહે છે. ફોન પર દીકરાના નિધનના સમાચાર મળતાં ભાંગી પડ્યા છે અને કોઈની સાથે વાત કરી રહ્યા નથી.


સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો. જેમનું વર્ષ 2002માં નિધન થઈ ગયું હતું. માતાના નિધન પછી સુશાંત ભાંગી પડ્યો હતો. સુશાંતના પિતા એક સરકારી ઓફિસર છે.

આ ઉપરાંત તેના પરિવારમાં ચાર બહેનો હતી, જેમાંથી એકનું નિધન થયા બાદ ત્રણ બહેનો અને સુશાંત હતો. તેની એક બહેન મિટ્ટુ સ્ટેટ લેવલની ક્રિકેટર છે.

સુશાંત ગયા વર્ષે 2019માં છેલ્લી વખત પોતના ઘરે આવ્યો હતો. 11 મે, 2019ના રોજ રાજીવનગરના મંદિરની પૂજામાં તે સામેલ થયો હતો.

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

You cannot copy content of this page