અભિનેતા ઇરફાન ખાનનું 53 વર્ષની ઉંમરમાં બુધવારે 29 તારીખે મૃત્યુ થઇ ગયું. કોલન ઇન્ફેક્શનના કારણે ઇરફાનને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઇરફાનની બોડીને વર્સોવામાં સ્થિત સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. લોકડાઉનના કારણે કબ્રસ્તાનમાં ગણતરીના જ લોકોને અંદર જવાની અનુમતી મળી. પિતાને અંતિમ વિદાઇ આપવા બંને દીકરા આયાન અને બાબિલ કબ્રસ્તાન પહોંચ્યા. ઇરફાન ખાન છેલ્લા 2 વર્ષથી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યુમર નામની બીમારીથી પીડિત હતા.
વર્સોવાના કબ્રસ્તાનમાં ઇરફાન ખાનને ગણતરીના લોકોની હાજરીમાં જ દફનાવવામાં આવ્યા હતા.
ઇરફાન ખાનની બોડીને એમ્બ્યુલન્સમાં કબ્રસ્તાન લઇ જવામાં આવ્યા અને બંને દિકરા કારથી પહોંચ્યા હતા.
લોકડાઉનના કારણે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. ઇરફાન ખાનના જનાજા દરમિયાન કાયદાનું ચુસ્તપણ પાલન કરવામાં આવ્યું હતું અને જનાજામાં ગણતરીના જ લોકો સામેલ હતા.
પિતાને અંતિમ વિદાઇ આપવા બંને દિકરા આંખમાં આંસુ અને મોઢા પર માસ્ક લગાવી કબ્રસ્તાન પહોંચ્યા હતા.
એક્ટરને અંતિમ વિદાઇ આપવા મોઢા પર માસ્ક લગાવી સિંગર મિકા સિંહ પહોંચ્યા હતા.
ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ લોકડાઉન હોવા છતા મિત્ર ઇરફાનને અંતિમ વિદાઇ આપવા કબ્રસ્તાન પહોંચ્યા.
હોસ્પિટલ બહાર સંબંધીઓ અને મિત્રોની ભીડ એકત્રિત થઇ ગઇ હતી.
બંને દિકરા આયાન અને બાબિલ હોસ્પિટલથી કબ્રસ્તાન જતા વખતેની તસવીર.
સંબંધી સાથે દેખાઇ ઇરફાન ખાનની પત્ની સુતાપા. મીડિયા ફોટોગ્રાફર્સ અને રિપોટર્સને કબ્રસ્તાનથી અંદાજે 400 મીટર દૂર ઉભા રહેવાની મંજુરી આપવામાં આવી હતી.