Only Gujarat

Bollywood

કિયારા અડવાણીએ પહેરેલા સિમ્પલ મંગળસૂત્રની કિંમત જાણી ઉડી જશે હોંશ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યાં હતા. આ લગ્ન પ્રસંગમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન બાદ હવે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન બાદ દિલ્હી પરત ફર્યા છે જ્યાં એક રિસેપ્શન યોજ્યું હતું જેમાં નજીકના મહેમાનો અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતાં. જોકે આ પહેલા કિયારા અને સિદ્ધાર્થ ધમાકેદાર રીતે ગૃહ પ્રવેશ કર્યો હતો.

લગ્ન બાદ એરપોર્ટ પર કિયારાએ નવ પરિણીતાના લુકને ફ્લોન્ટ કર્યો હતો. તે દરમિયાન સેંથામાં સિંદૂર અને ગળામાં સાદું મંગળસૂત્ર પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે, કિયારાનું સાદું દેખાતું મંગળસૂત્ર પણ કરોડો રૂપિયાનું છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે. જેની બોલિવૂડમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

લગ્ન બાદ કિયારા અડવાણીએ દિલ્હી પહોંચી ત્યારે પોતાનું સિમ્પલ મંગળસૂત્ર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિયારાના મંગળસૂત્રની અંદાજીત 2 કરોડ છે. કિયારાનું મંગળસૂત્ર ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યું છે. કિયારાનું મંગળસૂત્ર દેખાવમાં એકદમ સિમ્પલ છે જેમાં સોનેરી ચેનમાં કાળા મણકા અને વચ્ચે મોટો ડાયમંડ છે.

રિપોર્ટ્સ પ્રમાણે, કિયારા અડવાણીનો બ્રાઇડલ લૂક ચાહકોને ખૂબ ગમ્યો છે. આ સાથે તેની સોલિટેર ડાયમંડ રિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની અંડાકાર આકારની ડાયમંડ રિંગ ખૂબ જ સુંદર દેખાતી હતી. કિયારા અડવાણીની વેડિંગ રિંગની કિંમત પણ કરોડોમાં રૂપિયા છે.

મહત્વની વાત એ છે કે, લગ્ન કર્યાં બાદ કિયારા અને સિદ્ધાર્થ દિલ્હી પહોંચ્યા ત્યાંની અનેક તસવીરો સામે આવી હતી જેમાં સિદ્ધાર્થના હાથમાં કિયારાના નામની મહેંદી મુકી હોવાનું જોવા મળ્યું હતું. લગ્ન બાદ આ કપલ હાલ દિલ્હીમાં છે, જ્યાં પરિવાર અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. કિયારા અને સિદ્ધાર્થ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવુડના મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે તેવું બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે.

મહત્વની વાત એ છે કે, લગ્ન કર્યાં બાદ કિયારા અને સિદ્ધાર્થ દિલ્હી પહોંચ્યા ત્યાંની અનેક તસવીરો સામે આવી હતી જેમાં સિદ્ધાર્થના હાથમાં કિયારાના નામની મહેંદી મુકી હોવાનું જોવા મળ્યું હતું. લગ્ન બાદ આ કપલ હાલ દિલ્હીમાં છે, જ્યાં પરિવાર અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. કિયારા અને સિદ્ધાર્થ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવુડના મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે તેવું બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે.

You cannot copy content of this page