Sushant Singh Suicide Case: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ફિલ્મ નિર્માતા સુરજીતસિંહ રાઠોડે એક નવો ખુલાસો કર્યો છે. 15 જૂનના રોજ તે રિયા ચક્રવર્તીને કૂપર હોસ્પિટલની મોર્ચુરીમાં લઈ ગયો હતો, જ્યાં અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી રાખવામાં આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, રિયાએ સુશાંતની છાતી ઉપર હાથ રાખીને ‘સોરી બાબુ’ કહ્યું હતું અને તે રડવા લાગી હતી.
રિયા મોર્ચુરીમાં 5-7 મિનિટ રોકાઈ હતી
ખાનગી મિડીયા સાથેની વાતચીતમાં સુરજીતે કહ્યું કે, “હું સવારે 11 વાગ્યે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. લગભગ સાડા અગિયાર વાગ્યે મારો મિત્ર સૂરજસિંહ ત્યાં આવ્યો હતો અને મને કહ્યું હતું કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેના અંતિમ દર્શન કરવા માંગે છે. પોલીસ સાથે વાત કરી તેને સુશાંતનો ચહેરો દેખાડો. મે પોલીસકર્મીઓ સાથે વાત કરી અને રિયાને લઈ જતા મુર્દાઘરમાં પહોંચ્યો.જ્યારે મેં સુશાંતના ચહેરા પરથી ચાદર હટાવી, રિયાએ તેની છાતી પર હાથ મૂક્યો અને કહ્યું – ‘સોરી બાબુ’. અમે 5 થી 7 મિનિટ અંદર રહ્યા.
સુરજીત અનુસાર, શરીર ઉપરથી ચાદર હટતાની સાથે જ રિયાનું સોરી તેને ખટક્યુ હતુ. તેના મનમાં એક સવાલ હતો કે રિયા કઈ વાત માટે માફી માંગી રહી છે? જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ત્યાં હાજર રિયાના ભાઈ શોવિક અને માતા સંધ્યાએ પણ સુશાંતનો ચહેરો જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. સુરજીતસિંહ રાઠોડના જણાવ્યા મુજબ રિયા લગભગ બે કલાક કૂપર હોસ્પિટલમાં રોકાઈ હતી. હોસ્પિટલની બહાર મીડિયા એકત્રીત થતું હોવાથી. તેથી તે પાછલા દરવાજાથી અંદર ગઈ.
સુરજીતે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી
સુરજીત અનુસાર, તે અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાના સભ્ય છે અને સુશાંતના પિતરાઇ ભાઇ ભાજપના ધારાસભ્ય નીરજસિંહ બબલુની નજીક છે. નીરજે જ તેને હોસ્પિટલમાં રહેવાનું કહ્યું હતું. તેણે મુંબઈ પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતની છાતી પર હાથ મૂકીને માફી માંગી હતી. પરંતુ તેની વાતની અવગણના કરવામાં આવી હતી.
સૂરજે કર્યો દાવો- સુશાંત એક વર્ષ પહેલા પણ આત્મહત્યા કરવાનો હતો
સુરજીતે આ વાતચીતમાં બીજો ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમના કહેવા મુજબ, સૂરજસિંહે તેમને જણાવ્યું હતું કે સુશાંત એક વર્ષથી ડિપ્રેશનમાં હતો અને આ કારણે તે એક વર્ષ પહેલા આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. પરંતુ રિયા કોઈ રીતે તેને સંભાળી રહી હતી. જોકે, ખુદ સુરજીત સુશાંતની આત્મહત્યાને પચાવવામાં અસમર્થ છે. તેઓ પણ એવું માની રહ્યા છે કે સુશાંત કોઈ ષડયંત્રનો શિકાર થયો હતો.
સુશાંતના મિત્ર સંદિપ સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ
સુરજીતે વાતચીતમાં સુશાંતના મિત્ર અને પ્રોડ્યૂસર સંદીપ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમના કહેવા મુજબ, સંદીપ સિંહ આખી ગેમનો માસ્ટર માઈન્ડ છે. જ્યારે તેણે તેને હોસ્પિટલમાં જોયો ત્યારે તે ડરી ગયા હતા.
સુરજીતે કહ્યું, “હું કહીશ કે તે ખૂની છે. આ કેસને તે હેન્ડલ કરી રહ્યો છે. સંદીપે મુંબઇ પોલીસને કહીને મને કૂપર હોસ્પિટલમાંથી બહાર કઢાવ્યો હતો. એમ્બ્યુલન્સમાં સુશાંતની લાશ સાથે તે હોસ્પિટલમાં ગયો હતો અને તેણે પોલીસ અધિકારીઓને થમ્સઅપની નિશાની પણ બતાવી હતી.”