સુશાંત સિંહ રાજપુતે ‘છિછોરે’ના ડિરેક્ટર પાસે એક ઇચ્છા વ્યક્ત કરી હતી જે રહી ગઈ અધૂરી
મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સુશાંત સિંહ રાજપુતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપુતે નિતેશ તિવારી પાસે એક ઇચ્છા વ્યક્ત કરી હતી, જે અધૂરી રહી ગઈ.
નિતેશ તિવારે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 21 જાન્યુઆરી 2020એ સુશાંત સાથેનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો ‘છિછોરે’ના સેટ પર લેવામાં આવ્યો હતો. જેમાં બંને મોનિટરમાં કંઈક જોઈ રહ્યા છે. નિતેશે સુશાંતને જન્મદિવસની શુભેચ્છા આપતા આ ફોટો શેર કર્યો હતો.
નિતેશ તિવારીની આ પોસ્ટ પર સુશાંત સિંહ રાજપુતે લખ્યું હતું કે, ‘તમારો ખૂબ ખૂબ આભાર, સર. ગિફ્ટમાં તમારી એક ફિલ્મમાં કામ કરવાની તક આપજો પ્લીઝ.’
ઉલ્લેખનીય છે કે, 45થી 58 કરોડ રૂપિયાની વચ્ચે બનેલી ફિલ્મ ‘છિછોરે’એ બોક્સ ઓફિસ પર 150 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી. ‘છિછોરે’ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત સાથે શ્રદ્ધા કપૂર અને વરુણ શર્માએ લીડ રોલ પ્લે કર્યો હતો.
આ ફિલ્મની સ્ટોરી ડિપ્રેશન અને સ્યૂસાઇડ પર હતી, પણ દુખ તે વાતનું છે કે, અસલ જિંદગીમાં સુશાંત તેમાંથી બહાર આવી શક્યા નહીં.’
સુશાંત સિંહ રાજપુતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કર્યા પછી બોલિવૂડમાં નેપોટિઝ્મ અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
એક્ટર અને ફિલ્મમેકર શેખર સુમને એક પોસ્ટ કરી સુશાંતની આત્મહત્યા અંગે CBI તપાસની માગ કરી છે. સુશાંતની આત્મહત્યા મામલે પોલીસે તેમના પરિવાર, ફ્રેન્ડ સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસ સુશાંતની આત્મહત્યા મામલે વધુ તપાસ કરી રહી છે.