મુંબઈઃ કરિના કપૂર અત્યારે બીજીવાર પ્રેગ્નન્ટ છે. કરિના તેના બીજા બાળકને ફેબ્રુઆરી અથવા માર્ચ 2021માં જન્મ આપશે. કરીના અને તેમના પતિ સૈફ અલી ખાને સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યાં હતાં. અત્યારે કરીના તેમનો પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. કોરોના વચ્ચે પણ તે મુંબઈમાં તેના એસાઇનમેન્ટ્સ પુરા કરી રહી છે. એટલા માટે કે તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચછ્છા’નું શૂટિંગ આ મહિનાનાં અંતમાં દિલ્હીમાં શરૂ કરવાનું છે. આ દરમિયાન સૈફની પહેલી પત્ની અમૃતા સિંહનો એક કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે.
કરીના કપૂર ચાર વર્ષ પહેલાં પ્રેગ્નન્ટ થઈ ત્યારે એક રિપોર્ટરે અમૃતા સિંહને ફોન કરી આ વિશે પૂછ્યું હતું.
જેવો રિપોર્ટરે અમૃતાને ફોન કરીને પૂછ્યું કે, ‘કરીનાની પ્રેગ્નન્સી પર તે કેવું ફીલ કરી રહી છે?’ તો તે આ વાતને લીધે નારાજ થઈ ગઈ હતી.
તેમણે કહ્યું કે, ‘તમે આવો સવાલ કરવાની હિંમત પણ કેવી રીતે કરી શકો છો? તમે કોણ છો? મને બીજીવાર ફોન ના કરતાં’
આજે પણ અમૃતા કરીના અને તેમના દીકરા તૈમૂર વિશે વાત કરવાનું પસંદ કરતી નથઈ. એટલું જ નહીં અમૃતાના દીકરા સારા અને ઇબ્રાહિમ તેમની સાવકી મા કરીનાની ખૂબ જ નજીક છે અને તેમની સાથે પણ જોવા મળે છે. તો, અમૃતા પણ ક્યારેય કરીના સાથે જોવા મળી નથી.
સૈફ અલી ખાન વર્ષ 1991માં તેમનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 13 વર્ષ સુધી બંને સાથે રહ્યા અને વર્ષ 2004માં તેમના છૂટાછેડા થઈ ગયાં. આ છૂટાછેડાના લગભગ 8 વર્ષ બાદ સૈફે તેમનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. કરીનાએ તૈમૂરને 20 ડિસેમ્બર 2016માં જન્મ આપ્યો હતો.
અત્યારે કરીના-સૈફ દીકરો અથવા દીકરીના પેરેન્ટ્સ બનશે તે સમય આવ્યા જાણી શકાશે, પણ બેંગલુરના જ્યોતિષી પંડિત જગન્નાથ ગુરુજીએ કરીના-સૈફના ઘરે આવનારા ચોથા મહેમાન વિશે ખુલાસો કર્યો છે.
પંડિતજીએ કહ્યું છે કે, ‘માતા-પિતા બનવું સૌથી આનંદિત અનુભવ હોય છે. સૈફ-કરીના જે પહેલાથી જ સુપર ક્યૂટ દીકરા તૈમૂર અલી ખાનના પેરેન્ટ્સ છે તે ફરીથી માતા-પિતા બનવા તૈયાર છે.’ તેમણે જણાવ્યું કે, ‘જ્યોતિષી ગણના અને તેમના ચહેરાને જોયા પછી ભવિષ્યવાણી કરું છું કે, આ કપલ તેમની દીકરીનું સ્વાગત કરશે.’ પંડિતજી મુજબ સૈફ-કરીનાને મમ્મી-પપ્પા કહેનારી એક દીકરી આવશે.
એક ઇન્ટરવ્યબમાં કરીનાએ કહ્યું હતું કે, ‘તૈમુરના સમયે જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે મને બધા ખૂબ જ ખાવા માટે કહેતા હતાં અને જેને લીધે મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરીથી તેવું કરવા માગતી નથી. મારે બસ સારું ખાવાનું અને ફિટ રહેવાનું છે.’
તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે પહેલી પ્રેગ્નન્સિ દરમિયાન જ્યારે બધાં કહેતાં હતાં પરાઠા ખાવ, ધી પીવો, દૂધ પીવો, પણ હવે હું કહું છું કે, મેં પહેલાં આ બધુ કર્યું છે. હું જાણું છું મારી બોડીને શું જરૂર છે.’ કરીનાએ વધુમાં કહ્યું કે, ‘મારા ડૉક્ટરે કહ્યું છે કે, તમે બે લોકોનું ખાવાનું ના ખાવ. બસ સારું ખાવ અને પોતાનું ધ્યાન રાખો.’
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ આ મહિનાના અંતમાં દિલ્હીમાં શરૂ થવાનું છે. ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલ પ્લે કરી રહી છે. આ શૂટિંગ ઘણાં અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે. એવામાં સૈફ અને કરીના આ દરમિયાન પટોડી પેલેસમાં રહેવાનો નિર્ણય કર્યો છે. કરીના, પટૌડી પેલેસથી જ શૂટિંગ માટે તેમની કારથી દિલ્હી આવશે જશે.
સૈફ, કરીના સાથે તેમનો દીકરો તૈંમૂર, તૈમૂરના નૈની, સૈફના અંગત સહાયક, જિમ ટ્રેનર પણ સાથે આવશે. સૈફની મા શર્મિલા ટૈગોર પણ થોડાં દિવસો તેમની વહુ, દીકરી અને દીકરા સાથે પસાર કરશે.