બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતનાં મામલામાં CBI તપાસની માંગને લઈને દેશભરમાં અવાજ બુલંદ થઈ રહી છે. આજે બિહારનાં દરેક જીલ્લા મુખ્યાલય સહિત 250થી વધારે સ્થાનો પર “ જસ્ટિસ ફોર સુશાંત”નાં બેનર હેઠળ પ્રદર્શન કરાઈ રહ્યા છે. માર્ચ કાઢીને સુશાંતનાં મોતનાં મામલે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. પટનાનાં ગાંધી મેદાન સ્થિત જેપી ગોલંબર પર લોકોએ કેન્ડલ માર્ચ કાઢીને દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી અને ન્યાયની માંગ કરી હતી.
યુવાઓએ કર્યુ પૂતળાનું દહન
પ્રદર્શનકારીઓએ કહ્યુ, ‘જસ્ટિલ ફોર સુશાંત’ બેનર હેઠળ આખા બિહારમાં આંદોલન કરવામાં આવ્યુ છે. સુશાંત સિંહ રાજપૂત બિહારનાં આન, બાન અને શાન હતા. તેમની સાથે જે પણ થયું તે સહન કરવામાં આવશે નહી.
આક્રોશ માર્ચમાં યુવાનોએ જોરદાર બોલીવુડમાં ભાઈ-ભત્રીજાવાદ, જૂથવાદ અને નવા અભિનેતા સાથેનાં દુર્વ્યવહારને લઈને કરણ જોહર, સલમાન ખાન વગેરેની સામે નારેબાજી કરીને પૂતળાદહન કર્યુ હતુ.
CBI તપાસ થવી જોઈએ
આંદોલનકારીઓએ કહ્યું કે સુશાંતના મોતની નિષ્પક્ષ સીબીઆઈ તપાસ થવી જોઇએ. માત્ર બિહાર જ નહીં પરંતુ તેમના ચાહકો જે સુશાંતને આખા દેશમાં ચાહે છે તેઓ પણ ઈચ્છે છે કે તેમના મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે અને સત્ય બહાર આવે, જે સીબીઆઈ તપાસ કર્યા વિના શક્ય નથી.
મુંબઈ સ્થિત ઘરમાં કરી હતી આત્મહત્યા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પટનાના રાજીવ નગરનો રહેવાસી હતો. તાજેતરમાં જ તેણે મુંબઇના બાંદ્રા સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી, ત્યારથી અભિનેતા, રાજકારણીઓ અને તેમના ચાહકો તેમની મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.