મુંબઈઃ બ્લૉકબસ્ટર ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ની હિરોઈન ભાગ્યશ્રીએ લૉકડાઉનના આ સમયમાં કોરોનાવાઈરસથી બચવા માટે લોકોને એક ઘરેલુ નૂસ્ખો બતાવ્યો છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેના માધ્યમથી તેણે જણાવ્યું છે કે કોવિડ-19 વાઈરસ સામે લડવા માટે વિટામિન-સી જરૂરી હોય છે અને તેણે ચાહકોને ટામેટાનું શાક ખાવાની સલાહ આપતા તેને બનાવવાની રીત પણ જણાવી.
પોતાની પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે, ‘તમારા રસોડામાં જ રોગપ્રતિકારક શક્તિ વધારવાની જબરદસ્ત ફૉર્મ્યૂલા હાજર છે. કોવિડ-19નો મુકાબલો કરવા માટે વિટામીન-સી.
આ સાથે જ વિટામિન-સી, કોલેજનના ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ છે અને તે એન્ટીઑક્સીડેન્ટ પણ છે.’ તે બાદ તેમણે વધુ જાણકારી માટે તેની યૂટ્યૂબ ચેનલ જોવાની સલાહ આપી.
આ શાક ખૂબ જ ગુણકારીઃ વીડિયોમાં ભાગ્યશ્રી ચાહકોને ટામેટાનું શાક બનાવવાની પ્રક્રિયા બતાવી રહી છે. તે કહે છે કે, ‘ભોજનમાં રોજ વિટામિન-સી લેવાનો સૌથી સરળ રસ્તો ટામેટાં છે.’ જે બાદ તે ટામેટાંનું શાક બનાવવાની રીતે બતાવે છે.
વીડિયોના અંતમાં તે કહે છે કે, ‘આ મજેદાર શાકને જુવાર કે બાજરાની રોટલા સાથે ખાઓ અને તે ખૂબ જ ગુણકારી છે.’