Only Gujarat

Bollywood FEATURED

રક્ષાબંધનના તહેવારે સુશાંતની બહેને લખી ઈમોશનલ નોટ, વાંચી તમારી આંખમાં આવી જશે આસું

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનને દોઢ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ તેમની યાદ પરિવાર અને ફેન્સ સાથે જોડાયેલી છે. રક્ષાબંધનના વિશેષ અવસરે સુશાંતની બહેન તેમને ખૂબ જ મિસ કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે તે રાખડી બાંધી શકશે નહીં. આ દુખને વ્યક્ત કરતાં સુશાંતની બહેન રાનીએ ઇમોશનલ પોસ્ટ નોટ લખી છે.

શું લખ્યું સુશાંતની બહેન રાનીએ?
‘‘ગુલશન, મેરા બચ્ચા, આજ મેરા દિન હૈ. આજ તુમ્હારા દિન હૈ, આજ હમારા દિન હૈ. આજ રાખી હૈ.’’

‘‘35 વર્ષ પછી આ પહેલો અવસર છે જ્યારે પૂજાની થાળી શણગારેલી છે. આરતીનો દીવો પણ પ્રગટી રહ્યો છે. હળદર-ચંદનનું તિલક પણ છે. મિઠાઇ પણ છે. રાખડી પણ છે, પણ તે ચહેરો નથી જેની આરતી ઉતારી શકું. તે લલાટ નથી જેના પર તિલક કરી શકું. તે કાંડુ નથી જેનાં પર રાખડી બાંધી શકું. તે મોઢું નથી જેનાથી મોઢું મીઠું કરી શકું. તે માથું નથી જેને ચુમી શકું. તે ભાઈ નથી જેને ગળે લગાવી શકું.’’

વર્ષો પહેલાં જ્યારે તું આવ્યો હતો ત્યારે જીવન જગમગી ઉઠ્યું હતું. જ્યારે હતાં ત્યારે ખુશીઓ જ ખુશીઓ હતી. હવે જ્યારે તમે નથી તો મને સમજાતું નથી કે શું કરું? તારા વગર મને જીવતા આડતું નથી. ક્યારેય વિચાર્યું નહોતું કે આવું પણ થશે. આ દિવસ હશે પણ તું નહીં હોય. ઘણી બધી વાત આપણે સાથે-સથે શીખી. તારા વગર હું એકલી કેવી રીતે શીખું. તું જ કે?’’

હંમેશા તારી રાની દી

સુશાંતે સિરિયલ પવિત્ર રિશ્તામાં ઑનસ્ક્રીન બહેન પાસે રાખડી બંધાવી હતી
સુશાંતના કેટલાંક ફોટો સોશિયલ મીડિયામાં ફરતાં થયા છે. આ ફોટોમાં સુશાંત સિંહ રાજપુત સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર રાખડી બંધાવતા જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફોટોમાં સુશાંત સિંહ રાજપુત સાથે તેમની એક્સગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સિરિયલમાં અંકિતા અને સુશાંતની જોડી માનવ અને અર્ચનાનો રોલ પ્લે કરતીં હતી.

ફોટોમાં બહેન સાથે રાખડી જોઈ સુશાંત સિંહ રાજપુત ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. ફોટોમાં સુશાંત સિંહ રાજપુત તેમની ઑનસ્ક્રીન બહેન સાથે રાખડી બંધાવતો જોવા મળી રહ્યો છે. તેમની ઑનસ્ક્રીન બહેન સાથે રાખડી બંધાવ્યા પછી સુશાંત સિંહ રાજપુત તેમને ગિફ્ટ આપે છે. સુશાંત સિંહ રાજપુતે તેમની ઑનસ્ક્રીન બહનેને સોનાની જ્વેલરી આપી હતી.

સુશાંત સિંહ રાજપુતનો આ ફોટો જોઈ ફેન્સ ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપુતના નિધનથી તેમની બહેનો માટે રક્ષાબંધન હંમેશાં સૂની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને તેમના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી હતી. આ મામલે મુંબઈ અને બિહાર પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે 40થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page