14 જુન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ કેસની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. પહેલા જ દિવસે મુંબઇ પોલીસ પર આ કેસને લઇને પ્રશ્નાર્થ સર્જાયા છે. શરૂઆતથી જ સુશાંતના કેસને મુંબઇ પોલીસ આત્મહત્યા ગણાવી રહી છે. તો હવે સુશાંતના પરિવારજનો અને રાજપૂત પરિવારના વકીલ વિકાસ સિંહે આ કેસમાં અનેક મોટા ખુલાસ કર્યા છે.
એક તરફ જ્યાં રાજપૂત પરિવારના વકીલ વિકાસ સિંહે અનેક ખુલાસા કર્યા છે તો બીજી તરફ એક ચેનલના રિપોર્ટ પ્રમાણે 14 જુને સવારે સાડા નવ વાગ્યે સુશાંત સિંહ રાજપૂતના મોબાઇલમાંથી તેના પરિવારને મોબાઇલ પર એક મિસ્ડ કોલ ગયો હતો. જો કે આ મિસ્ક કોલ પણ એક રિંગમાં જ કપાઇ ગયો હતો.
રિપોર્ટ પ્રમાણે સુશાંતના પરિવારજનોએ તુરંત અભિનેતાને કોલ બેક કર્યો પરંતુ ફોન લાગ્યો નહીં. ત્યારબાદ સુશાંત સિંહના પરિવારજનોએ અભિનેતા સાથે રહેતા કર્મચારીને કોલ કર્યો અને સુશાંત સાથે વાત કરાવવાનું કહ્યું. પરંતુ કર્મચારીએ સુશાંત વ્યસ્ત હોવાની વાત કરી ફોન કાપી નાખ્યો.
આ સાથે જ ઉલ્લેખનીય છે કે એક ટીવી ચેનલ સાથે વાત કરી વિકાસ સિંહે કહ્યું કે સુશાંતના પિતાએ ફેબ્રુઆરીમાં બાંદ્રા પોલીસને પહેલા જણાવ્યું હતું કે સુશાંત સારા લોકો સાથે નહીં અને તેનું જીવન ખતરામાં છે.
સાથે જ વિકાસ સિંહે દાવો કર્યો કે સુશાંતના નિધન બાદ જ્યારે પરિવારે પોલીસને આ અંગે તપાસ કરવાનું કહ્યું કે કોણ સુશાંતનું માઇન્ડ કંટ્રોલ કરી રહ્યું હતું કોણ તેની મેડિકલ ટ્રીટમેન્ટનું ધ્યાન રાખી રહ્યું હતું પરંતુ પોલીસ અલગ એન્ગલમાં જ તપાસ કરી રહી હતી.
વિકાસ સિંહે પણ આગળ કહ્યું કે શરૂઆતમાં પટના પોલીસે પણ આ મામલે એફઆઇઆર દાખલ કરવા આનાકાની કરી રહી હતી. પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મંત્રી સંજય ઝાએ તેઓને મામલો સમજાવ્યો અને ત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પરિવારે પણ અત્યારસુધી સીબીઆઇ તપાસની માગ કરી નથી.