Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહના ફાર્મહાઉસમાંથી મળી નવી ડાયરી, નવ પાનાંમાં લખી છે આ વાતો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની અમુક નોટ્સ સામે આવી છે. આ નોટ્સ સુશાંતે 2018માં પવાના ફાર્મહાઉસમાં લખ્યા હતા. જેમાં સુશાંતે પોતાના રુટીન અને ફ્યૂચર પ્લાન્સનો ઉલ્લેખ કર્યો હતો. આ નોટ્સ પરથી જાણી શકાય છે કે, સુશાંત 2018માં સિગરેટ છોડવા માગતો હતો. તેને કૈલાશ યાત્રા કરવી હતી. નોટ્સમાં યોગ, તપસ્યા અને ત્રીજી આંખનો પણ ઉલ્લેખ કરાયો હતો.

એક અંગ્રેજી અખબાર પાસે આ નોટ્સના 9 પેજ છે. રિપોર્ટ્સ અનુસાર, આ નોટ્સ પરથી એ સંકેત પણ મળે છે કે સુશાંત કોઈ જ્યોતિષની નિકટ જઈ રહ્યો હતો. નોટ્સમાં સુશાંતે 28 એપ્રિલ 2018ના ‘કેદારનાથ’ ફિલ્મની સ્ક્રિપ્ટ રિડિંગની વાત લખી હતી. આ સાથે પોતાના ડેઈલી રુટીનના 16 પોઈન્ટ લખી રાખ્યા હતા. સુશાંતે લખ્યું હતું કે, તે રાતે 2.30 વાગે ઉઠે છે, સુપરમેન ચા પીવે છે અને કોલ્ડ શાવર લે છે.

કૃતિનો ઉલ્લેખ, રિયાનું નામ પણ નહીં
આ નોટ્સમાં સુશાંતે કૃતિ સાથે સમય પસાર કરવાની વાત પણ લખી છે. રાબ્તાની આ જોડીના રિલેશનશિપમાં હોવાની પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. સુશાંતે લખ્યું કે, તે પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી મહેશ સાથે એક ટૂર પર જવા માગે છે. આ નોટ્સમાં ક્યાંય પણ રિયા ચક્રવર્તીના નામનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, રિયા અને સુશાંતની મુલાકાત 2019માં થઈ હતી.

નોટ્સમાં વિચિત્ર લખાણ પણ
સુશાંતે લખ્યું હતું કે,‘કોઈ યોગ્ય જવાબ નથી. કેટલાંક સારા સવાલ છે. મુશ્કેલીઓને ઉકેલ કેવી રીતે કરવાનો છે. આનંદ જ કેમ છે? ’ નોટ્સમાં આવી ઘણી વાતો લખેલી હતી જે સ્પષ્ટ નથી. અમુક શબ્દો જેમકે- અનુભવ, વિશ્લેષણ, આનંદ, સાહસ, પ્રતિભા અને પવિત્રતાનો ઉલ્લેખ હતો. એક પેજમાં હિન્દીમાં લખેલું હતું કે,‘જેઓ નાના-નાના કામ વડે ઘણું કહેવાનું સાહસ અને સંસ્કાર ધરાવે છે તેઓ જ આવતીકાલનું નિર્માણ કરે છે.’

ત્રીજી આંખનો પણ ઉલ્લેખ
આ નોટ્સમાં સૌથી મુખ્ય વાત કૈલાશ યાત્રા છે. એક પેજમાં તે યાત્રાના સ્ટોપ્સ વિશે લખેલું હતું- યોગ, તપસ્યા, સોમરસ અને પછી કૈલાશ. આ સાથે જ તેણે ત્રીજી આંખ અને પીનિયલ ગ્લેન્ડ (મસ્તિકની એક ગ્રંથિ) વિશે પણ લખ્યું છે. એક પેજમાં સુશાંત ટેનિસ, તીરંદાજી માટે ટાઈમ ફિક્સ કર્યો છે. આ બધા કામને તે 4 કલાકમાં પૂર્ણ કરવાનું શેડ્યુલ બનાવી રાખતો હતો.

મોમિન અને કબીરની પંક્તિઓ પણ
સુશાંતે એક નોટમાં લખ્યું,‘જ્યારે હું હતો, ત્યારે હરિ નહીં, જ્યારે હરિ છે હું નહિ.’ આ કબીરની પંક્તિઓ છે. આ ઉપરાંત મોમિનની પણ અમુક પંક્તિઓ છે કે,‘તુ મારી પાસે હોય તો એવું છે કે, જાણે કોઈ બીજુ નથી.’

આ ઉપરાંત નોટ્સમાં નીતિ આયોગની પોલિસી, ઈનસાએઈ, નાસા અને સુશાંત ફોર એજ્યુકેશનનો ઉલ્લેખ છે. ઈનસાએઈ તે કંપની છે, જે સુશાંતે 2018માં વરુણ માથુર સાથે મળીને બનાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page