Only Gujarat

Bollywood FEATURED

સિંગર નેહા કક્કરના પૂર્વ પ્રેમીએ લગ્ન અંગે કહી દીધી આવી વાત…..

મુંબઈઃ બૉલિવૂડ પ્લેબેક સિંગર નેહા કક્કર ‘મુઝસે શાદી કરોગે’ના કન્ટેસ્ટન્ટ રોહનપ્રીત સિંહ સાથે લગ્નની કરવાની અફવા પર નેહાના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે, આ સમાચાર સોમવારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયાં હતાં કે, નેહા અને રોહનપ્રીત જલદી જ લગ્નના બંધનમાં બંધાશે.

મહત્ત્વનું છે કે, આ વાતની સ્પષ્ટતા નેહા કક્કર અને રોહનપ્રીતે કરી નથી. આ લગ્ન વિશે કહેવામાં આવી રહ્યું છે કે, 24 ઑક્ટોબર 2020 દિલ્હીમાં જ બંને મ્યૂઝિશિયન 7 ફેરા લેશે.

એક ઇન્ટરવ્યૂમાં હિમાંશે જણાવ્યું કે, ‘જો નેહા ખરેખર લગ્ન કરી રહી છે તો તે ખૂબ જ ખુશીની વાત છે કે, તેને મૂવ ઑન કરી દીધું છે.’ તેમણે કહ્યું કે, ‘દરેક લોકોને જિંદગીમાં આગળ વધી જવું જોઈએ.’

તેમણે કહ્યું કે, ‘જુઓ, જો નેહા સાચે જ લગ્ન કરી રહી છે, તો હું તે માટે ખૂશ છું. તે પોતાની જિંદગીમાં આગળ વધી રહી છે. તેમની જિંદગીમાં કોઈ છે અને આ જોઈ ઘણું સારું લાગે છે.’

શું હિમાંશ તેમની લવ સ્ટોરી વિશે જાણે છે? આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે, ‘નહીં બિલકુલ નહીં.’ નેહાના એક ફ્રેન્ડે જણાવ્યું હતું કે, આ લગ્ન માત્ર એક અફવા છે.

તેમણે કહ્યું, ‘નહીં, તે લગ્ન નથી કરી રહી. રોહનપ્રીતવાળી અફવા એટલી જ ખોટી છે જેટલી આદિત્ય નારાયણવાળી વાત હતી.’

તેમણે જણાવ્યું કે, ‘તેમને ખબર નહોતી કે નેહા આ રીતની વાહિયાત પબ્લિસિટીવાળી રીતનો શિકાર ખુદને કેમ થવા દેશે.’ સાથે જે તે આ વાત અંગે સમજી રહી નથી મીડિયા કેમ વારંવાર આ રીતના સમાચાર પર વિશ્વાસ કરી લે છે.

ઉલ્લેખનીય છે કે, નેહા કક્કર અને હિમાંશ કોહલી ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં પછી વર્ષ 2018માં બ્રેકઅપ કરી લીધું હતું. આ પછી નેહાએ કહ્યું કે, ‘હું અત્યારે બસ એટલું જ કહી શકું છું કે સિંગલ હોવું મારી જિંદગીનો સૌથી સુંદર અનુભવ છે.’

નેહાએ કહ્યું, ‘રિલેશનશિપમાં રહી ન તો હું મારા પરિવારને સમય આપી શકી અને ફ્રેન્ડને. અત્યાર સુધી હું મારી પોતાની આખી ઉર્જા તે વ્યક્તિ પર ખરચ કરતી રહી જે આ વાતને ડિઝર્વ નહોતી કરતી.’

You cannot copy content of this page