દમોહઃ મધ્ય પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ પોતાના 16મા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, દુઃખની વાત એ છે કે જન્મના અમુક સમય બાદ જ મહિલા તથા તેના બાળકનું મોત થયું હતું.
બાળકના જન્મના અમુક જ કલાકમાં બંનેનું મોત
આ ઘટના દમોહ જીલ્લાના બટિયાગઢ પાડાઝિર ગામની છે. જ્યાં સુખરાની અહિરવાર નામની 45 વર્ષીય મહિલાએ શનિવારે પોતાના 16મા બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ પીડા દરમિયાન મહિલાની સ્થિતિ ગંભીર થઈ હતી. પરિવારજનો તેને તાત્કાલિક હેલ્થ સેન્ટરે લઈ પહોંચ્યા જ્યાં અમુક જ કલાકમાં માતા અને બાળકનું મોત થયું હતું.
16 બાળકોમાંથી 8નું થઈ ચૂક્યું છે મોત
મહિલા સુખરાનીના 16 બાળકોમાંથી માત્ર 4 દીકરા અને 4 દીકરીઓ જ જીવે છે. જ્યારે 8 બાળકોનું અગાઉ મૃત્યું થઈ ચૂક્યું છે. તંત્રની આટલી યોજનાઓ છતાં હજીસુધી મહિલાના પરિવાર નિયોજનમાં સામેલ ના થવાની ઘટના ઘણી બેદરકારી દર્શાવે છે.
આ ઘટના મીડિયા સમક્ષ સામે આવ્યા બાદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડૉ. સંગીતા ત્રિવેદીએ આ મુદ્દે તપાસ કરવાની વાત કહી હતી. જેથી મહિલા સુધી તંત્રની યોજનાઓ શા માટે ના પહોંચી શકી. જે પણ આ મામલે દોષી સાબિત થશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે.