Only Gujarat

International

રશિયામાં થયો હતો ખતરનાક ‘સ્લીપ એક્સપેરિમેન્ટ’? જેલમાં કેદીઓ જે કરતાં તે જાણી ચોંકી જશો

દુનિયાભરમાં ન જાણે કેટલાય પ્રયોગો કરવામાં આવે છે, જેમાંથી કેટલાક પ્રયોગોની જાણ થાય છે, જ્યારે કેટલાક ગુપ્ત રીતે કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રકારનો એક પ્રયોગ 1940 ના દાયકામાં કરવામાં આવ્યો હતો, જેને જાણીને લોકોની આત્મા કાંપી ઉઠે છે. આ પ્રયોગ ‘રશિયન સ્લીપ પ્રયોગ’ તરીકે ઓળખાય છે. આ પ્રયોગ માટે જેલમાં બંધ પાંચ કેદીઓ સાથે એક સોદો કરવામાં આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ તેનો હિસ્સો બને છે, તો પ્રયોગ સમાપ્ત થતાં જ તેઓને મુક્ત કરવામાં આવશે.

આ માટે, તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓને 30 દિવસ સુધી ઉંઘ્યા વિના રહેવું પડશે, જેના માટે કેદીઓ સંમત થયા હતા. ત્યારબાદ તેઓને એર ટાઇટ ચેમ્બરમાં લોક કરવામાં આવ્યા હતા અને તેમાં ગેસ મૂકવામાં આવ્યો હતો, જેથી કેદીઓ સૂઈ ન શકે અને વૈજ્ઞાનિકો જોઈ શકે કે તેનાથી તેની શું અસર થશે.

શરૂઆતમાં બધું બરાબર હતું. બધા કેદીઓ એકબીજા સાથે આરામથી વાતો કરતા હતા. વૈજ્ઞાનિકો તેમની વાતોને રેકોર્ડ કરતાં રહેતાં હતા અને સાથે જ એક કાચ દ્વારા તેમના પર નજર રાખતા હતા. લગભગ એક અઠવાડિયા સુધી તમામ કેદીઓની હાલત બરાબર હતી, પરંતુ તે પછી તેમની હાલત કથળી હતી. કેદીઓએ ધીરે ધીરે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

તેઓ બેસીને પોતાની જાત સાથે જ એકલા વાતો કરતા હતા. આ રીતે 10 દિવસ પસાર થઈ ગયા. પછી 11 મો દિવસ નજીક આવતાની સાથે જ એક કેદી જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે એટલી જોરથી ચીસો પાડી રહ્યો હતો કે તે કહેવાય છેકે, તેનું વોકલ કોડ ફાટી ગયો હતો. આમા સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તેના બૂમરાણની બાકીના કેદીઓ પર કોઈ અસર પડી નહીં.

કેદીઓની હાલત જોઈને વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ 15મા દિવસે કેદીઓની ચેમ્બરમાં ગેસ છોડ્યો ન હતો, જેની મદદથી કેદીઓને સૂતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ તેની વિપરીત અસર પડી હતી. બધા કેદીઓ અચાનક બુમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યાકે અમને બહાર ન કાઢો અમારે બહાર આવવું નથી. દરમિયાન ચેમ્બરમાં જ એક કેદીનું મોત પણ થઈ ગયુ હતુ.

જ્યારે પ્રયોગ કરી રહેલા વૈજ્ઞાનિકોએ કેદીઓની હાલત જોઈ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. તેમણે જોયું કે ઘણા કેદીઓના અંગોમાંથી માંસ ગાયબ થઈ ગયા હતા, ફક્ત તેમના હાડકાં જ દેખાતા હતા. તેમને જોતાં એવું લાગી રહ્યુ હતુકે, જાણે તેઓ એકબીજાનું અથવા પોતાનું માંસ ખાવા લાગ્યા હોય.

કેદીઓની હ્રદયકંપાવનારી ગતિવિધિઓ અને તેમની સ્થિતિ જોઈને વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તેમને મારી નાખવા જોઈએ. આ માટે તેણે ટીમના કમાન્ડર સાથે વાત કરી હતી, પરંતુ કમાન્ડરે આવું કરવાની ના પાડી અને તેમણે કહ્યું કે આપણે પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. જો કે, બાદમાં એક વૈજ્ઞાનિકે તે કેદીઓને મારી નાખ્યા અને પ્રયોગથી સંબંધિત તમામ પુરાવાનો નાશ કરી નાંખ્યો હવે આ વાર્તા સાચી છે કે ગૂંથાયેલી છે, તે જાણી શકાયું નથી, પરંતુ વર્ષ 2010 માં, તે ક્રીપિપાસ્તા ડૉટ કૉમ નામની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ હતી. કેટલાક લોકો આ વાર્તાને સાચી માને છે, કારણ કે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ સમયે જાપાન અને ચીન જેવા દેશોમાં મનુષ્ય પર ઘણા જોખમી પ્રયોગો થયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page