રશિયા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની આર-ફર્મે કોવિડ 19ની દવા બનાવી છે. ડ્રગનું નામ કોરોનાવિર છે. હવે આ દવાને ક્લિનિકલ ટ્રાયલ પછી દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ દવા કોરોના દર્દીઓ પર સારી અસર કરશે. દવા આપવાનાં પાંચમા દિવસે લગભગ 77 ટકા દર્દીઓમાં કોરોના મળ્યો ન હતો.
કોરોનાનાં મૂળમાં કરે છે વાર
કંપની દાવો કરે છે કે કોવિડ-19 ના દર્દીઓની સંપૂર્ણ સારવાર કરનારી કોરોનાવિર દેશમાં આવી પહેલી દવા છે. આ દવા કોરોનાની સંખ્યાને વધતા અટકાવે છે. તે રોગના મૂળમાં પ્રહાર કરે છે.
55%માં દેખાયો ફાયદો
રશિયન ફાર્મા કંપની આર ફર્મના જણાવ્યા અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોરોનાવિર અને અન્ય થેરેપી દવાઓ લેતા 19 દર્દીઓની સરખામણી કરવામાં આવી. રિપોર્ટમાં બહાર આવ્યું છે કે નવી દવાઓ લેતા દર્દીઓમાં અન્ય દવાઓ અને ઉપચારની તુલનામાં 55 ટકા વધુ સુધારો જોવા મળ્યો છે.
મેમાં થયું ક્લિનિકલ ટ્રાયલ
કંપની અનુસાર, દવાની ટ્રાયલ મે મહિનામાં શરૂ થઈ હતી. આ દવા દ્વારા અત્યાર સુધીમાં 110 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે લક્ષણોને બદલે બિમારીને ટાર્ગેટ કરે છે. દવા આપ્યાના 14 દિવસની અંદર દવાની અસર જોવા મળે છે.
24 કલાકમાં 27 હજાર કેસ
યુએસએ અને બ્રાઝિલ પછી દરરોજ સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે. પ્રથમ વખત, 24 કલાકમાં 27 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા હતા.
દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે આઠ લાખને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, કોરોનામાં અત્યાર સુધીમાં 8 લાખ 20 હજાર 916 લોકોને ચેપ લાગ્યો છે. 22,123 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લાખ 15 હજાર લોકો સ્વસ્થ થયા છે.