કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં આ પ્રેગ્નન્ટ ડૉક્ટરનું થયું મોત, સલામ તો બને જ છે!
કોરોના સમયગાળા દરમિયાન દુખી કરનારી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી જ એક ડૉ. પ્રતીક્ષાનું મોત પણ છે. 32 વર્ષીય ડૉ. પ્રતિક્ષા વાલ્દેકર (MBBS,MD) સાત મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન અમરાવતીની ઇર્વિન હોસ્પિટલમાં ફરજ બજાવતી રહી હતી. તે આ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં કામ કરતી હતી. થોડા દિવસ પહેલાં પ્રતીક્ષા હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતી વખતે કોરોના સંક્રમિત થઈ હતી.
શરૂઆતમાં તેની આ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને તેની હાલત વધુ વણસી જતા નાગપુર ખસેડાઈ હતી. છેલ્લા 10 દિવસથી તેની હાલત નાજુક હતી જેના કારણે તેને ઓક્સિજન પણ લગાવવું પડ્યું હતું.
સારવાર દરમિયાન, પાંચ દિવસ પહેલા પ્રતીક્ષાનાં બાળકનું ગર્ભાશયમાં અવસાન થયું હતું. 20મીની રાત્રે પ્રતીક્ષાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. પ્રતીક્ષાએ નાગપુરથી પોતાનું ભણતર પુરૂ કર્યુ હતુ.
પ્રતીક્ષાના મોતથી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હંગામો મચી ગયો હતો. એક ટ્વિટર યુઝરે જ્યારે ટ્વિટર દ્વારા પ્રતીક્ષાનાં મોતનાં સમાચાર શેર કર્યા તો લોકોએ તેની મોત માટે અમરાવતીનાં તે હોસ્પિટલને જવાબદાર ગણાવી હતી, જ્યાં તે સાત મહિનાની પ્રેગ્નેન્સી દરમ્યાન પણ કામ કરતી રહી હતી.