Only Gujarat

Bollywood FEATURED

મોતના પાંચ દિવસ પહેલાં સુશાંતે કર્યો હતો બહેનને ફોન, ડરતાં ડરતાં કહી હતી આ વાત!

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. મામલાની તપાસ કરી રહેલી એજન્સીઓને આ મામલા સાથે જોડાયેલી બહુજ મહત્વપૂર્ણ જાણકારી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતે ઘટનાનાં 5 દિવસ પહેલાં એટલે કે, 9 જૂને પોતાની બહેન મિતૂને કોલ કર્યો હતો.

ફોન કરીને તેની બહેન મિતૂને પોતાના ડર વિશે જણાવ્યુ હતુ. બહેન મુજબ, સુશાંતની વાતો પરથી લાગતુ હતુકે, તેની લાઈફ ખતરામાં છે. ત્યાં બધું જ ઠીક નથી.

એક ન્યૂઝ ચેનલનાં રિપોર્ટ મુજબ, સુશાંત સિંહ રાજપૂતે મોતનાં 5 દિવસ પહેલાં પોતાની બહેન મિતૂને 9 જૂને એસઓએસ (SOS) કોલ કર્યા હતા. સુશાંતે તેની બહેનને કહ્યુ, આ લોકો મને ફસાવી શકે છે, મને ડર લાગી રહ્યો છે, મને મારી નાંખશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યુ છેકે, સુશાંતે રિયા ચક્રવર્તી સાથે પણ સંપર્ક કરવાનાં પ્રયાસો કર્યા, જે તેને 8 જૂને છોડીને જતી રહી હતી અને સુશાંતને બ્લોક કરી દીધો હતો.

સૂત્રો મુજબ, સુશાંતે 13 જૂને બપોર બાદથી કોઈ ફોન અને મેસેજ રિસીવ કર્યો ન હતો. સુશાંતની બહેન મીતૂ પણ આ વાત પહેલાં કહી ચૂકી છેકે, 14 જૂનની સવારે તેના ભાઈ સુશાંતે તેનો કોલ ઉપાડ્યો ન હતો.

પોલીસે પુછતાછમાં રિયાએ જણાવ્યું હતું કે, સુશાંત ડિપ્રેશનમાં હતો અને સુશાંતે તેને કહ્યું કે, તેને એકલો છોડીને જતી રહે. તે સુશાંતની સ્થિતી જોતા તેને કંઈ પણ પુછ્યા વગર એકલો મુકીને જતી રહી હતી. તેને લાગ્યુ કદાચ થોડા દિવસોમાં બધુ બરાબર થઈ જશે.અને તેને તોડા દિવસ એકલા વિચારવાની તક આપવી જોઈએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page