મધ્યપ્રદેશના ખરગૌનમાં ડબલ મર્ડરનો કેસ પોલીસે સોલ્વ કરી લીધો છે. મહિલા અને યુવકની હત્યાના આરોપમાં પોલીસે મૃતકના પતિની જ ધરપકડ કરી છે. પોલીસના પ્રમાણે પતિએ જ પોતાની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી હતી.
પોલીસે જણાવ્યું કે પત્નીને પોતાના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈને તેના પતિ ગુસ્સે થઈ ગયો અને બંનેની લાકડીથી મારી-મારીને હત્યા કરી નાખી. મહિલાનો પતિ એટલો ગુસ્સામાં હતો કે તેણે મૃતક પ્રેમીની આંખો ફોડી નાખી. જે બાદ પત્નીની હત્યા કરીને શબને ઘરની બહાર ફેંકી દીધું.
આરોપીએ પોતાની પત્નીના પ્રેમીના શબને બાઈક પર મુકીને ગામથી એક કિમી દૂર પુલિયા પાસે જઈને ફેંકી દીધું. હત્યાના આરોપીએ ડંડાથી એવો હુમલો કર્યો કે પ્રેમીની બંને આંખો ફૂટી ગઈ. ઘટનાસ્થળથી લઈને પુલિયા સુધી રસ્તામાં લોહીના નિશાન મળ્યા હતા.
આ સનસનીખેજ હત્યા બાદ જિલ્લાના એસપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણે ખુદ મોકા પર પહોંચીને તપાસ કરી હતી. એસપીના પ્રમાણે ખરગૌનના ભાડલીનો લોકેશ માનકર પોતાની 28 વર્ષિય પત્ની અનીતા સાથે દસંગામાં મકાન નિર્માણનું કામ કરી રહ્યો હતો. અહીં જ દેહરી ગામનો રવિ ઉર્ફ પ્રવીણ ભાગીરથ રાણે પણ કામ કરતો હતો.
રવિવારની સવારે લોકેશ ભાગતો ગામ પહોંચ્યો અને ગ્રામીણોને કહ્યું કે, મારી પત્નીને કાંઈક થઈ ગયું છે તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું છે, લોકેશ એ સમયે નશામાં હતો. તેના કપડા પર લોહીના ડાઘ હતા.
લોકો જ્યારે લોકેશના ઘરે પહોંચ્યા તો તેની પત્ની અનિતાનું શબ જોયું. જ્યારે તેના મિત્રનું શબ પુલિયા પાસે પડ્યું હતું. ગ્રામીણોએ જ્યારે પોલીસને બોલાવી તો લોકેશ ત્યાંથી ભાગવા લાગ્યો. જેનાથી તેના પર શંકા ગઈ અને તે સાચી સાબિત થઈ.