Only Gujarat

FEATURED National

પતિ-પત્ની વચ્ચે રોજ થતાં હતાં ઝઘડાં ને પત્નીએ અંતે લાવી દીધો આવો કાયમી ઉપાય

અજમેર/ચુરુઃ દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે, પરંતુ ઘણી જગ્યાએ આ ઝઘડા અમુક ક્ષણ માટે રહે છે તો અમુકવાર આ ઝઘડા ગંભીર સ્વરુપ ધારણ કરે છે. ગુસ્સાના કારણે એકબીજાની હત્યા, મારા મારી કે અન્ય ઘટનાના અહેવાલ સામે આવતા રહે છે. પરંતુ એક પત્નીએ પતિની હત્યા કરી હોય તેવી ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે. ચુરુ જીલ્લાના સાંખણતાલ ગામમાં આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પત્નીએ પતિના ગળામાં દોરડો ભરાવી તેની હત્યા કરી હતી. તે પછી મૃતદેહને 2 દિવસ સુધી પલંગ દ્વારા સંતાડી રાખ્યો, પરંતુ દુર્ગંધ આવતા પોતે જ પોલીસને જાણ કરી હતી.

આરોપી પત્નીએ પોતે જ પોલીસને ફોન કરી બોલાવી અને તેણે પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ વાત સાંભળનાર પોલીસકર્મીઓને પહેલા વિશ્વાસ નહોતો થયો. પોલીસે ઘટના સ્થળે જોઈ દ્રશ્ય જોયું તો તેઓ દંગ રહી ગયા. આરોપી પત્નીએ ઘર કંકાશના કારણે પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

હમીરવાસના એસઆઈ સુભાષચંદ્રએ જણાવ્યું કે, મૃતકના ભાઈ અશોક કુમારે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ ભાઈમાં સૌથી નાના મૃતક નિર્મલ કુમાર (34)ના લગ્ન 2011માં નીરજ સાથે થયા હતા. નિર્મલ અને તેના પિતા ખેતી કામ કરી ગુજરાન ચલાવતા. મૃતક નિર્મલ અને તેની પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા રહેતા હતા.

10 દિવસ અગાઉ નીરજ પતિ સાથેના ઝઘડા બાદ પિયર જતી રહી હતી. બીજા દિવસે તેનો ભાઈ દિનેશ તેને સાસરી મુકી હયો હતો. જોકે પછી પણ પતિ-પત્નીના ઝઘડામાં ઘટાડો થયો નહીં. 22 સપ્ટેમ્બરે સવારે નિર્મલનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. ગળામાં દોરડાના અને છાતી પર ગુલાબી નીશાન હતા.

રાતે પતિ-પત્ની વચ્ચે થઈ મારામારી
મૃતકના પિતાએ જણાવ્યું કે, ‘નિર્મલ તથા તેની પત્ની નીરજ 20 સપ્ટેમ્બરની રાતે 10.30 કલાકે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યાં હતા. તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે મારી પર હુમલો કર્યો. તેમણે મને જ મારી નાખવાની ધમકી આપી તેથી હું મારા રુમમાં જતો રહ્યો.’ આરોપ છે કે, 20મીની રાતે જ નિર્મલની પત્નીએ તેનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

નિસહાય પિતાને પણ જાણ ના થઈ કે તેમના દીકરાની 2 દિવસ અગાઉ જ હત્યા થઈ હતી. મૃતકના ભાઈ અશોક કુમારને પોતાની ભાઈની પત્નીના નિવેદન પર શંકા છે, તેનું માનવું છે કે આરોપી મહિલા સાથે આ કામમાં કોઈ અન્ય વ્યક્તિની પણ સંડોવણી હોવી જોઈએ. નીરજ અને નિર્મલને બે સંતાન દીકરી ભાવના (7) અને દીકરો રાહુલ (5) છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page